મે અને દિશા વાકાણીએ 4 વર્ષથી વાત કરી નથી: દિલીપ જોશી
અંગત રીતે હું પણ દિશા જીને ખૂબ મિસ કરું છું: દિલીપ જોશી
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી દિશા વાકાણી ઉર્ફે દયા બેનને લઈ સિરિયલના પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મે અને દિશા વાકાણીએ 4 વર્ષથી વાત કરી નથી. દિશા વાકાણી ઉર્ફે દયા બેન ભલે છેલ્લા 5 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ ન હોય, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તે સતત ચર્ચામાં છે. આ શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંનું એક હતું, જેને ચાહકો હજુ પણ મિસ કરે છે.
દિલીપ જોશીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ ETimes સાથે વાત કરતાં કહ્યું, "સાચું કહું તો, દિશા જી ખૂબ જ ખાનગી વ્યક્તિ છે અને જ્યારથી તેણે શો છોડ્યો ત્યારથી અમે એકબીજા સાથે વાત કરી નથી. મને તેના વિશે જે પણ સાંભળવા મળે છે તે પ્રોડક્શન હાઉસમાંથી જ આવે છે. તે તેના પરિવારને પ્રાથમિકતા આપવા માંગે છે તે તેનો અંગત નિર્ણય છે.
દિશા વાકાણીની પ્રાથમિકતા તેમનો પરિવાર: દિલીપ જોશી
દિલીપ જોશીએ ETimes સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે આપણે આદર આપવો જોઈએ કે તેમણે તેમના જીવનના 10 વર્ષ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને આપ્યા છે. હવે, તેની પ્રાથમિકતા તેનો પરિવાર છે અને આપણે તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. આખરે તે એક કલાકાર પણ છે અને જ્યારે પણ તેને અભિનય કરવાની ઈચ્છા થશે ત્યારે તે પાછી આવશે.
હું દિશા જીને યાદ કરું છું
દિલીપ જોશીએ કહ્યું, 'હા, હું દિશા જીને મિસ કરું છું. અમે 10 વર્ષથી સાથે કામ કર્યું છે. અમારું ટ્યુનિંગ અને કેમિસ્ટ્રી પહેલા દિવસથી જામી ગઈ હતી અને અમે સાથે કામ કરવાનો ઘણો સારો સમય પસાર કર્યો હતો. અમે છેલ્લા 10 વર્ષોમાં કેટલાક સૌથી સુંદર દ્રશ્યો શૂટ કર્યા છે અને ઘણો સારો સમય પસાર કર્યો છે. અલબત્ત, દિશા જી કોમેડીના મામલામાં નંબર વન કલાકાર છે. તે એક અદ્ભુત અને શાનદાર અભિનેત્રી છે. કેટલીકવાર હું જૂની ક્લિપ્સ પણ જોઉં છું અને મને લાગે છે કે આ દ્રશ્ય ક્યારે બન્યું. મેં છેલ્લા 10 વર્ષમાં તેની સાથે ઘણા સીન કર્યા છે. મને પણ એ દ્રશ્યો જોવાની મજા આવે છે. હા, અંગત રીતે હું પણ દિશા જીને ખૂબ મિસ કરું છું.