ભાવનગરઃ સરકાર ગાંધીજીની 150મી જન્મ જયંતિ સ્વચ્છ ભારતના નારા સાથે ઉજવી રહી છે. પરંતુ ભાવનગરમાં હેરિટેજ બિલ્ડીંગ તરીકે ઓળખાતી અને ગાંધીજીના નામ સાથે સંકળાયેલી ગાંધી સ્મૃતિની હાલત અત્યંત જર્જરિત છે. એટલું જ નહિ અહીં જ સ્વચ્છતાનો અભાવ આજે પણ જોવા મળે છે. આ બિલ્ડીંગના કેટલાક ભાગોમાં વૃક્ષો ઉગી નીકળ્યા છે. તેમ છતાં સત્તાધીશોની આંખ ઉઘડતી નથી અને અહીં સફાઈ કરતી નથી આથી ગાંધીવાદી લોકોમાં જ રોષ ફેલાયો છે.
ભાવનગરમાં રાજાશાહી સમયમાં એક પથ્થરની આદર્શ બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. જેને સમય જતા ગાંધી સ્મુર્તિનું નામ આપવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગ આમ તો હેરીટેવજ બિલ્ડીંગમાં આવે છે. પણ તંત્ર કે સરકાર તેની જાળવણી કરતુ નથી. ભાવનગરના ક્રેસન્ટ સર્કલમાં આવેલું આ બિલ્ડીંગમાં ખાદી ગ્રામોઘોગ ભંડાર બેસે છે. ઉપરાંત આ બિલ્ડીંગમાં ગાંધીજીની તસવીરોનું કાયમી પ્રદર્શન તેમજ મ્યુઝીયમ બનવવામાં આવેલું છે. અહીં દેશ વિદેશના લોકો આ મ્યુઝિયમ જોવા માટે આવે છે.
અહીં સાફ સફાઈનો અભાવ જોવા મળે છે. આ બિલ્ડીંગ 70 વર્ષથી પણ વધુ સમય પહેલાનું છે. હાલ તેની છતમાં પોપડા પડી ગયા છે. તેમ છતાં તેની મરામત કરાવતી નથી. આમ પણ અહીં ખાદીનું વેચાણ ઘટી જવાથી આ સંસ્થા હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. તેના કારણે મરામત થતી નથી અહીં આવેલ તસ્વીરી પ્રદર્શન અને મયુઝીયમની પણ જાળવણી કરતી નથી. આ બિલ્ડીંગ વધુ જર્જરિત બને તે પહેલા તેનું રીપેરીંગ કરાવવા માંગ ઉઠવા પામી છે.
ભાવનગરની માધ્યમ આવેલ આ બિલ્ડીંગ ભાવગરની એક ઓળખ છે. તેના કારણે અહીં અનેક લોકો મુલાકાત લેતા હોય છે. હેરિટેજ ગણાતી આ બીલ્ડીંગની મરામત માટે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યાં હોવાની વાત અહીંના ટ્રસ્ટીઓ સ્વીકારી રહ્યં છે. અહીંના ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ બિલ્ડીંગના મરામત માટે અમે ગાંધી નાટકો લાવી કામની કરીશુ. દાતાઓ શોધીને આ બિલ્ડીંગ માટે જરૂરી 50 લાખ એકઠા કરીને તેની મરામતનું કામ હાથ ધરીશું.
ભાવનગરમાં જ્યાં ગાંધીજીની યાદ છે. તેવા આ બીલ્ડીંગની હાલત જ દયાજનક છે. ત્યારે સ્થાનિક લોકો એ અને સરકારે પહેલા આ બિલ્ડીંગની મરામત કરાવવી જરૂરી છે. સ્વચ્છતા પણ અહીં રાખવી જરૂરી છે અને જો આમ થશે તો જ તો જ ગાંધાજીને સાચી અંજલિ આપી ગણાશે.