સોમવારે મોડી રાત્રે કમલનાથ સરકાર તરફથી ભોપાલમાં આવેલ આરએસએસ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ભોપાલ બેઠકના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર દિગ્વિજય સિંહે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. દિગ્વિજય સિંહે ટવિટ કરી જણાવ્યું કે ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. હું મુખ્યમંત્રી કમલનાથજીને અનુરોધ કરુ છું કે આરએસએસ કાર્યાલય પર સુરક્ષા પરત કરવાનો આદેશ આપે.
લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઇને રાજકારણ ગરમાયું છે. રાજ્યની કોંગ્રેસ સરકારે ભોપાલ સ્થિત આરએસએસના મુખ્યાલયથી સુરક્ષા હટાવાનો નિર્ણય લીધો છે, જેના પર કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે વિરોધ કર્યો છે. દિગ્વિજય સિંહે ટવિટ કરી સંઘ કાર્યાલયની સુરક્ષા પરત કરવા અપીલ કરી છે.
સોમવારે મોડી રાત્રે કમલનાથ સરકાર તરફથી ભોપાલમાં આવેલ આરએસએસ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇને મોડી રાતથી આરએસએસના કાર્યાલય પરથી સુરક્ષા દૂર થવાની શરૂઆત થઇ ગઇ હતી. ભોપાલમાં આવેલ આરએસએસનું કાર્યાલય મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું મુખ્ય કેન્દ્ર છે.
જો કે ભોપાલ બેઠકના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર દિગ્વિજય સિંહે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. દિગ્વિજય સિંહે ટવિટ કરી જણાવ્યું કે ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. હું મુખ્યમંત્રી કમલનાથજીને અનુરોધ કરુ છું કે આરએસએસ કાર્યાલય પર સુરક્ષા પરત કરવાનો આદેશ આપે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજયસિંહ બંને પૂર્વમાં સંઘના આલોચક રહ્યાં છે. એવામાં હવે લોકસભા ચૂંટણી પહેલા દિગ્વિજયસિંહનું આ નિવેદન ચોંકાવનારું છે.