કોંગ્રેસમાંથી રાજીનામું આપી નવી ઇનિંગ્સની શરૂઆત કરવાની તૈયારી કરી રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને અનુભવ થયો હતો કે પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના પદ અને પાર્ટી બંને પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
સિંધિયાએ પાર્ટી સાઇડલાઇન કરી રહેલા હોવાનો કર્યો હતો આક્ષેપ
કોંગ્રેસ દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે આપ્યો આ જવાબ
આ મામલે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને સવાલ પૂછવામાં આવ્યો કે જ્યોતિરાદિત્ય સિંધિયાનું પાર્ટી છોડવાનું મુખ્ય કારણ શું છે ? શું સાચે જ પાર્ટી તેમને સાઇડલાઇન કરી રહી હતી? જેને લઇને દિગ્વિજયસિંહે ખાનગી મીડિયા સાથેની વાતચીતનું ટ્વિટ કરતાં આ અંગેની પૂર્ણ જાણકાકરી આપી.
દિગ્વિજયસિંહે ટ્વિટ કરી જણાવ્યું કે સાઇડલાઇન કરવાનો કોઇ સવાલ જ નથી. ઉલ્ટાનું જો તમે મધ્ય પ્રદેશના ગ્લાવિયર ચંબલ વિસ્તારમાં કોઇપણ કોંગ્રેસના નેતાને વ્યક્તિગત પ્રશ્ન પૂછશો તો તેમને જાણકારી મળશે કે છેલ્લા 16 મહિનામાં તેમની મંજૂરી વગર આ વિસ્તારમાં કોઇકામ થયા નથી. જો કે પક્ષ છોડવું ઘણુ દુઃખદ છે, પરંતુ હું સિંધિયાને મોદી-શાહના સંરક્ષણ હેઠળ શુભકામના આપું છું.
No question he was not at all sidelined. In fact, please ask any Congress Leader from MP particularly from Gwalior Chambal Division and you would come to know nothing moved in this area without his consent in last 16 months. Sad. But I wish him well under ModiShah Tutelage! https://t.co/ChEycCkrRc
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. જો કે એક અટકળ મુજબ મંગળવારના રોજ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતું, પરંતુ હવે મળી રહેલી સૂત્રોની જાણકારી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા 12મીએ ભાજપમાં જોડાય શકે છે. જો કે સિંધિયાએ આપેલા રાજીનામા બાદ થોડા જ સમયમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી વિરોધી ગતિવિધીના આરોપ હેઠળ પક્ષમાંથી દૂર કરી દીધા હતા.