હિંદુ આતંકવાદના મામલે યુ-ટર્ન લઇને દિગ્વિજયસિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આતંકવાદ હિંદુ ધર્મનો સ્વભાવ જ નથી. મધ્યપ્રદેશના બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિગ્વિજયસિંહે ભાજપના એ આક્ષેપને ફગાવી દીધો છે કે તેમણે હિંદુ આતંકવાદનો શબ્દ પ્રયોજ્યો હતો.
હિંદુ લોકો આતંકવાદી હોઇ શકે નહીં એવું કહેવું કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહનું કહેવું છે. હિંદુ આતંકવાદના મામલે યુ-ટર્ન લઇને દિગ્વિજયસિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આતંકવાદ હિંદુ ધર્મનો સ્વભાવ જ નથી. મધ્યપ્રદેશના બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિગ્વિજયસિંહે ભાજપના એ આક્ષેપને ફગાવી દીધો છે કે તેમણે હિંદુ આતંકવાદનો શબ્દ પ્રયોજ્યો હતો.
દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને હિંદુત્વમાં મોટું અંતર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે આજકાલ કેમ મૌન ધારણ કર્યું છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે એવું નથી. મને લાગે છે કે હું પહેલાં બહુ બોલતો હતો. નર્મદા પરિક્રમા કરીને મેં હવે ૧૦ દિવસમાં મારી જાતને બદલી નાખી છે. હવે હું જરૂર પડે જ બોલીશ. આ મા નર્મદાનું જ જ્ઞાન છે.
આતંકવાદ અંગે પૂછતાં દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે આતંકવાદ અંગે મારો અભિપ્રાય સૌ કોઇ જાણે છે, મારે તેને હવે દોહરાવવાની જરૂર નથી. જ્યારે તેમનેે પૂછયું કે ભાજપે તમારી વિરુદ્ધ પ્રજ્ઞાસિંહ ઠાકુરને કેમ ઉતાર્યાં? ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રજ્ઞાસિંહ ઠાકુર મારે મન એક ઉમેદવાર જ છે. હું કોઇ એ, બી કે સી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યો નથી. હું ગરીબી, બેરોજગારી, નોટબંંધીથી થયેલા નુકસાન અને જીએસટીને ખોટી રીતે લાગુ કરવાના મુદા પર ચૂંટણી લડી રહ્યો છું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે ઉમેદવારીપત્ર ભરતી વખતે એવું કહ્યું હતું કે હિંદુત્વ શબ્દ તમારી ડિક્શનરીમાં નથી તો તેનો અર્થ શું થાય છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે હિંદુત્વ વાસ્તવમાં હિંદુ ધર્મનો ભાગ નથી. આ શબ્દ સાવરકરજીએ રાજકીય હેતુથી પ્રયોજ્યો હતો. હિંદુત્વમાં કોઇ ધાર્મિક વાત નથી. હું પણ હિંદુ છું. મારી આસ્થા સનાતન ધર્મમાં છે. હું સ્વયંને હિંદુ બતાવીને વોટ માગતો નથી.