કોંગ્રેસમા સીનિયર નેતા અને ભોપાલ લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર દિગ્વિજય સિંહે વિપક્ષી ઉમેદવાર અને ભાજપ કેન્ડિડેટ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર નિશાન સાધ્યું છે.
ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભાજપ અને સાધ્વી પ્રજ્ઞાસિંહને લઈને કટાક્ષ કર્યો છે.
દિગ્વિજયસિંહે એક રેલીને સંબોધન દરમિયાન કહ્યું કે, હેમંત કરકરેની મોત તેમના શ્રાપથી થઈ છે, તો તેઓ જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને પણ શ્રાપ કેમ નથી આપતા ? જો તેઓ શ્રાપ આપી દે તો આતંકવાદીઓને મારવા માટે આપણે સર્જીકલ સ્ટ્રાઈક ના કરવી પડત. મને સાધ્વી આતંકવાદી કહે છે. જો હું આતંકવાદી હોવ તો મારી ધરપકડ કરો.
ભાજપના લોકો શહેરનો માહોલ બગાડવા માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ તમે લોકો તેમની વાતોમાં ના આવશો. હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ ભાઈ ભાઈ છે. આ લોકો હિન્દુઓને કહી રહ્યા છે કે તમે ખતરામાં છો જેથી એક થઈ જાઓ.
હું કહેવા માગીશ કે આ દેશને મુસ્લિમ લોકોએ 500 વર્ષ સુધી ચલાવ્યો. કોઈ ધર્મને કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી. ધર્મ વેચનારાઓથી તમે સાવધાન રહો.