ઇન્દોરનાં બહુચર્ચિત બેટકાંડને લઇને રાજનીતિની ચર્ચા શરૂ જ છે. હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આ મામલાને લઇને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા છે. કહ્યું કે, 'મને નથી લાગતુ કે અમિત શાહજી પોતાનાં પ્રિય મિત્ર કૈલાશ વિજયવર્ગીયનાં દીકરાને કંઇ નુકસાન થવા દે. જોઇએ.'
ઇન્દોરનાં બહુચર્ચિત બેટકાંડને લઇને રાજનીતિની ચર્ચા શરૂ જ છે. હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે (Digvijaya Singh) આ મામલાને લઇને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પર આકરા પ્રહાર કર્યા છે.
તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, 'મોદીજીએ કાલે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ (Akash Vijayvargiya) નાં નિવેદન વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી અને આકાશની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતાં. એટલું જ નહીં તેઓએ ભાજપનાં કાર્યકર્તાઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો પરંતુ જેઓએ જેલમાંથી છૂટ્યા બાદ તેમનું સ્વાગત કર્યુ અને "હર્ષ ફાયરિંગ" કર્યુ.
मोदी जी ने कल भाजपा संसदीय दल की बैठक में आकाश के इस बयान के खिलाफ नाराजी प्रकट की और आकाश के खिलाफ कार्यवाही करने के निर्देश दिये। यही नहीं उन भाजपा के कार्यकर्ताओं के खिलाफ भी कार्यवाही करने के निर्देश दिये जिन्होंने जेल से छूटने के बाद उसका स्वागत किया और “हर्ष फायरिंग” की। https://t.co/HAEeFjDZOs
બીજા ટ્વિટમાં કહ્યું કે, 'જો આવું થાય તો મોદીજી આપને શુભકામના. ને જો આવું ના થાય તો એમ કહીશું કે આપનાં કહેવા અને કરવામાં ખૂબ ફર્ક હોય છે અને આપની દાનત પણ સ્પષ્ટ નથી. મને નથી લાગતુ કે અમિત શાહજી પોતાનાં પ્રિય મિત્ર કૈલાશ વિજયવર્ગીયનાં દીકરાને કંઇ નુકસાન થવા દે. જોઇએ.'
अगर एेंसा होता है तो मोदी जी आपको बधाई। यदि नहीं होता है तो यही कहेंगे आपकी कथनी और करनी में बहुत अंतर है और आपकी नियत साफ़ नहीं है। मुझे नहीं लगता अमित शाह जी अपने प्रिय मित्र कैलाश वीजावर्गीय के बेटे का कोई नुक्सान होने देंगे। देखते हैं।
ભાજપનો દાવો, આકાશનાં સ્વાગતનાં કાર્યાલયમાં કોઇ જ સમારોહ આયોજિત ન હોતો થયોઃ
પ્રધાનમંત્રી મોદીએ સાર્વજનિક વ્યવહારને લઇને પાર્ટી નેતાઓને સખ્ત નસીહત આપ્યા બાદ ભાજપનાં એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે બેટકાંડનાં આરોપી આકાશ વિજયવર્ગીયની જામીન પર જેલથી મુક્તિ પર તેમનાં સ્વાગતમાં અહીં પાર્ટી કાર્યાલયમાં કોઇ સમારોહ આયોજિત ન હોતા કરવામાં આવ્યાં. સૂત્રોએ જણાવ્યું કે, ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ મંગળવારનાં રોજ સખ્ત લહેકામાં કહ્યું કે, દીકરો કોઇનો પણ હોય, પાર્ટીમાં મનમાની નહીં ચાલે.