સેમ્પલ આપ્યા વગર દિગ્વિજય સિંહ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે.
સેમ્પલ આપતા પહેલા જ પોઝિટિવ આવ્યા દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે પુછ્યુ કોઈ જણાવશે શુ થઈ રહ્યુ છે
મિસમેનેજમેન્ટના મામલા સામે આવી રહ્યા છે
સેમ્પલ આપતા પહેલા જ પોઝિટિવ આવ્યા દિગ્વિજય સિંહ
દેશમાં કોરોનાના કહેરની વચ્ચે બેદરકારી અને મિસમેનેજમેન્ટના મામલા સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના કોંગ્રેસના રાજ્યસભાન સભ્ય દિગ્વિજય સિંહ સાથે થઈ છે. હકિકતમાં દિગ્વિજય સિંહ આજે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાના હતા. પરંતુ સેમ્પલ આપતા પહેલા જ તેમની પાસે એક મેસેજ આવ્યો. જેમાં લખ્યુ હતુ કે તમારા સેમ્પલ કલેક્ટ કરી દેવામાં આવ્યા છે. હવે દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવી રહ્યા છે.
દિગ્વિજય સિંહે પુછ્યુ કોઈ જણાવશે શુ થઈ રહ્યુ છે
દિગ્વિજય સિંહે ગુરુવારે ટ્વીટ કરતા કહ્યુ કે શું થઈ રહ્યુ છે. 10.02 વાગ્યા છે અને મે આરટીપીસીઆર માટે મારા સેમ્પલ આપ્યા જ નથી. હું સેમ્પલ આપવા માટે રાહ જોઈ રહ્યો છુ અને મને મેસેજ મળે છે કે 9.39 વાગે કોનું સેમ્પલ લેવાયુ અને આરએમએલને મોકલવામાં આવ્યું? મને ખબર નથી કે કોઈ એટલુ દયાળુ છે કે જે મને કહી શકે કે શું થઈ રહ્યુ છે?
શું છે દેશની સ્થિતિ
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે. સકક 36મા દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે.