મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બેગમગંજમાં જૈન સમાજે પિયુષ પર્વ પર ઇન્ટરનેટ મુક્ત ઉપવાસ રાખીને એક અનોખી પહેલ કરી છે.
24 કલાક માટે રાખવામાં આવ્યો ઇ-ઉપવાસ
મોબાઇલની લત છોડાવવાનો આ પાછળનો ઉદ્દેશ્ય
મધ્યપ્રદેશનાં રાયસેનની ઘટના
24 કલાક માટે રાખવામાં આવ્યો ઇ-ઉપવાસ
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બેગમગંજમાં જૈન સમાજે પિયુષ પર્વ પર ઇન્ટરનેટ મુક્ત ઉપવાસ રાખીને એક અનોખી પહેલ કરી છે. જૈન સમાજનું કહેવું છે કે આ ઇન્ટરનેટની લત છોડાવવાની એક રીત છે. આજે જૈન સમાજના અધ્યક્ષ અક્ષય જૈનનાં આવવા પર ઉપવાસ રાખવામાં આવ્યો છે. આ ઉપવાસ 24 કલાકનો ઇન્ટરનેટ મુક્ત ઉપવાસ છે, કેમકે આજકાલનાં બાળકો,યુવા, મહિલાઓ ઘણો સમય ઓનલાઈન જ રહેતા હોય છે.
મોબાઇલની લત છોડાવવાનો આ પાછળનો ઉદ્દેશ્ય
આ ઉપવાસની નગરમાં ચર્ચા થઈ રહી છે. અમુક લોકો કહી રહ્યા છે કે હવે અમે પણ મહિનામાં એકવાર ઉપવાસ કરીશું. આ ઉપવાસને ડિજિટલ ફાસ્ટિંગ નામ આપવામાં આવ્યું છે. આના પર જૈન સમાજના અધ્યક્ષ અક્ષય જૈન કહે છે કે યુવાઓમાં કે લોકોમાં જે લત લાગેલી છે, તે આટલી જલ્દી નહીં જાય એટલા માટે આ પહેલ કરવામાં આવી છે. આ આદત પર કાબૂ મેળવવા માટે ધીરે ધીરે આદતને નિયંત્રણમાં લાવવી પડશે. આ માટે લોકોએ પોતાના મોબાઈલ મંદિરમાં 24 કલાક માટે બંધ કરીને તેને છોડવો પડશે.
મધ્યપ્રદેશનાં રાયસેનની ઘટના
તેમણે આગળ કહ્યું કે આજના સમયમાં મોટાભાગના લોકોને સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને પોર્નોગ્રાફીની લત લાગેલી છે, એટલા માટે અમે આ ઉપવાસ દરમિયાન તમને મોબાઈલ ફોન, લેપટોપ અને ટીવી જેવી વસ્તુઓથી અંતર બનાવીને હકીકતની દુનિયાનો અનુભવ લેવાનું કહીએ છીએ. આ અનોખા ઉપવાસનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે લોકો પોતાના મોબાઈલની લત છોડી દે.