આજકાલ વજન ઘટાડવા માટે લોકો સૌથી વધારે ડાયટીંગનો આધાર લે છે. લોકોને લાગે છે કે ડાયટિંગ કર્યા વગર ઝડપથી વજન ઘટાડી શકાય છે. પરંતુ શું તમને ખબર છે કે જરૂરીયાત કરતા વધુ ડાયટીંગ કરવાથી તમારા આરોગ્યને નુકસાન થઇ શકે છે.
જો વધુ પડતુ ડાયટીંગ કરશો તો પડી જશો બિમાર
એકસ્ટ્રીમ ડાયટ પ્લાનને ફોલો કરવાથી આરોગ્યને ઘણુ થાય છે નુકસાન
ભોજન ઓછું ખાવાથી પાચન તંત્ર પર પણ સૌથી વધુ અસર થાય છે
ડાયટ પ્લાનને ફોલો કરવાથી ઘણાં પ્રકારનું થાય છે નુકસાન
જો તમે ડાયટને હેલ્ધી રૂપમાં કન્વર્ટ કરી લેશો તો તેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે. કશું જ ખાધા વગર એક્સટ્રીમ ડાયટ પ્લાનને ફોલો કરવાથી આરોગ્યને ઘણાં પ્રકારનું નુકસાન થઇ શકે છે. તબીબી નિષ્ણાંતોનું કહેવુ છે કે એક વ્યક્તિને આખા દિવસમાં 1200 થી 2600 સુધી કેલેરીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જે લોકો ઓછું ખાય છે તેના આરોગ્ય પર ગંભીર અસર પડે છે. એટલેકે ડાયેટીંગ કરવાથી વજન ઓછું થાય કે નહીં પરંતુ મુશ્કેલી અચૂક ઉભી થાય છે.
પાચન અને પથરીની સમસ્યા
ઓછું ખાવાથી પાચન તંત્ર પર સૌથી વધુ અસર થાય છે. પાચન તંત્રને મજબૂત બનાવવા માટે ફાઈબરની જરૂર પડે છે. જે ખાવામાંથી મળે છે. પરંતુ ડાયટીંગ કરવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેને કારણે પાચન સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. શરીરને ઓછી કેલેરી મળવાથી પિતાશયમાં પથરી થવાનો ભય વધી જાય છે.
થાક અને ચિડીયાપણુ
ખાવાનુ નહીં ખાવાથી તમારા શરીરને એનર્જી મળતી નથી. જેનાથી તમને થાક અને નબળાઈ મહેસૂસ થાય છે. જે લોકો ડાયેટીંગ કરે છે તેના સ્વભાવમાં ચિડિયાપણુ આવી જાય છે. આવા લોકોનું બ્લડ સુગર લેવલ પણ ઓછું થવા લાગે છે.
મેટાબોલિજ્મ પર અસર
જે લોકો ખાવાનુ ઓછું ખાય છે, તેવા લોકોના મેટાબોલિજ્મ પર પણ અસર પડે છે. ઓછું ખાવુ અથવા ડાયેટીંગ કરવાથી તમારું વજન ઘણી વખત વધી જાય છે. જેને કારણે તમને મેટાબોલિજ્મ થાય છે. ડાયેટીંગ કરવાથી સ્નાયુઓમાં ઢીલાશ આવે છે જેનાથી તમારા શરીરનો શેપ પણ બગડી શકે છે.