બજેટમાં મીડલ ક્લાસને કેમ છૂટ અપાઈ નથી તે સવાલનો જવાબ આપતા FM સીતારામણે સ્પસ્ટતા કરી છે.
બજેટ રજૂ કર્યાં બાદ નાણામંત્રી સીતારામણનું નિવેદન
કહ્યું કે સરકારે 2 વર્ષથી ટેક્સ વધાર્યો એ મોટી રાહત
કોરોનામાં લોકો પર બોજો ન પડે તેવો પીએમ મોદીનો આદેશ છે
બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફારની આશા રાખી રહેલા મધ્યમ વર્ગને નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાંથી કંઈ મળ્યું નથી. નિર્મલા સીતારામણના બજેટ પર મીડિલ ક્લાસ ખૂબ નારાજ છે અને હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે બજેટમાં સરકારે મીડિલ ક્લાસને કેમ કોઈ ટેક્સ રાહત ન આપી. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું કે ગત વખતે પ્રધાનમંત્રીનો આદેશ હતો કે ગમે તેટલી ખાધ હોય પરંતુ કોરોના મહામારીના સમયે જનતા પર કરનો બોજ નથી. આ વખતે પણ બજેટમાં પીએમની આ જ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે.
We're taking several steps to tackle these (unemployment & inflation) issues. Our govt didn't allow inflation to go double-digit. Yes, it breached the 6% limit for a month but never crossed it. However, before 2014 it was always in the range of 10,11,12,13: FM N Sitharaman pic.twitter.com/2VKQcK6tAA
સરકારે 2 વર્ષથી કોઈ ટેક્સ વધાર્યો નથી, આ સૌથી મોટી રાહત
બજેટ બાદની પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી સીતારામણે કહ્યું કે સરકારે 2 વર્ષથી કોઈ ટેક્સ વધાર્યો નથી. આ સૌથી મોટી રાહત છે. આ બજેટ સામાન્ય લોકોનું બજેટ છે. તેમણે કહ્યું કે કોરોના કાળમાં લોકો પર બોજો ન પડે તેવો પ્રધાનમંત્રીનો આદેશ છે તેથી સરકારે 2 વર્ષથી ટેક્સ વધાર્યો નથી અને આ જ મોટી રાહત છે. નિર્મલા સીતારામણે કહ્યું કે મહામારી હોવા છતાં પણ સરકારે જનતા પાસેથી ટેકસનો એક પૈસો પણ વસૂલ્યો નથી.
મહામારી છતા પણ સરકારે ટેક્સનો એક પૈસો વસૂલ્યો નથી
પત્રકાર પરિષદમાં નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, રોગચાળો હોવા છતાં સરકારે ટેક્સના માધ્યમથી જનતા પાસેથી એક પણ પૈસો લીધો નથી. એટલે કે, રોગચાળા દરમિયાન માંગણીઓ અને પડકારો હોવા છતાં, કેન્દ્ર સરકારે કર દ્વારા કોઈપણ પ્રકારની રાહત શોધવાનો પ્રયાસ કર્યો ન હતો. નાણામંત્રીએ કહ્યું કે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સરકારનો ઇરાદો પ્રગતિશીલ છે. પ્લાન મુજબ એલઆઈસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
I have not tried to earn even a single paisa by increasing tax this year & even last year. PM had given clear instructions that people should not be burdened with taxes at the time of the pandemic, notwithstanding the deficit: FM Nirmala Sitharaman pic.twitter.com/dfqYshFZ2X
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ કરન્સી જારી કરશે
નાણાં પ્રધાને સૂચિત ડિજિટલ ચલણ અને ક્રિપ્ટોકરન્સી પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ કરન્સી જારી કરશે, ક્રિપ્ટો અને ક્રિપ્ટો એસેટ્સ શું છે તે અંગે હાલ કોઇ ચર્ચા થઇ નથી. હોદ્દેદારો સાથે ચર્ચા ચાલી રહી છે. ડિજિટલ એસેટની વિગતો પરામર્શ પછી આવશે.ક્રિપ્ટો વર્લ્ડની તમામ ક્વીન વર્ચ્યુઅલ એસેટ્સ વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલી સંપત્તિ છે અને સરકાર તેના વ્યવહારોમાં નફા પર 30 ટકા ટેક્સ લાદશે. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, અમે 1 ટકા ટીડીએસ લગાવીને ક્રિપ્ટો એસેટ્સના દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખીશું.
આઠ વર્ષથી નથી બદલાયો ઈન્કમ ટેક્સ સ્લેબ
2014માં સત્તા પર આવ્યા મોદી સરકારે ટેક્સ છૂટની સીમા 2 લાખથી વધારીને 2.5 લાખ કરી હતી. ત્યારથી અત્યાર સુધી ટેક્સ છૂટની સીમામાં કોઈ ફેરફાર કરાયો નથી.