મમતા બેનરજીએ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કરીને એક મોટો દાવ ખેલ્યો છે.
મમતા બેનરજીએ ભવાનીપુર બેઠક છોડી
નંદીગ્રામ બેઠક પરથી લડશે ચૂંટણી
મમતાની સામે મમતા જ પૂર્વ વિશ્વાસુને ભાજપ આપી શકે છે ટિકિટ
1991 થી 2011 સુધી મમતા બેનરજી કોલકાતા (સાઉથ) થી સાંસદ રહ્યાં હતા. ભવાનીપુર બેઠક આ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે જ્યારે 2011 માં તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે તેમણે ભવાનીપુર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી તેઓ ભવાનીપુર મૂકીને ક્યાંય ગયા નથી.
ભાજપ આ વખતે મમતાની સામે મમતાના જ વિશ્વાસુ રહેલા શુભેન્દુ અધિકારીને ઉતારી શકે છે.
પરંતુ આ વખતની ચૂંટણીમાં નંદીગ્રામ પરથી ચૂંટણી લડવાની મમતાની જાહેરાતે બધાને ચોંકાવી મૂક્યા છે. ભાજપ આ વખતે મમતાની સામે મમતાના જ વિશ્વાસુ રહેલા શુભેન્દુ અધિકારીને ઉતારી શકે છે.
291 ઉમેદવારોની યાદી જાહેર
મમતા બેનરજીએ વિધાનસભાની ચૂંટણી માટે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.મમતાએ 100 નવા ચહેરાને તક આપવામાં આવી છે તો કેટલાક જાણીતા ચહેરાની ટિકિટ કાપી છે. 291 ઉમેદવારોમાં 50 મહિલાઓ અને 42 મુસ્લિમ ઉમેદવારો છે. દાર્જિલિંગની 3 બેઠકો પર ટીએમસી ચૂંટણી લડવાની નથી કારણ કે આ બેઠકો પાર્ટીની સહયોગીઓ માટે અનામત રખાઈ છે.