'મેં સામેથી પાર્ટીને કહ્યું હતું કે મારે આ વખતે ચૂંટણીમાં ભાગ નથી લેવો. નવા લોકોને પણ મોકો મળવો જોઈએ' - વિજય રૂપાણી
ચૂંટણી નહીં લડે એ વિશે વિજય રૂપાણીએ નક્કી કર્યું કે પાર્ટીએ?
હું પાંચ વર્ષ માટે મુખ્ય મંત્રી રહી ચૂક્યો છું - રૂપાણી
શું 2024માં લોકસભાની ચૂંટણી લડશે રૂપાણી?
ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર આજે વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે સૌ મતદાતાઓ ઉમંગભેર મતદાન કરવા માટે સવારથી જ લાઇનમાં જોડાઇ ગયા છે. તેમજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની ચર્ચિત બેઠકો પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વિજય રૂપાણી પણ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા.
ચૂંટણી નહીં લડે એ વિશે વિજય રૂપાણીએ નક્કી કર્યું કે પાર્ટીએ?
મતદાન કરવા પંહોચેલ વિજય રૂપાણીને સાથે વાતચીત કરતાં સમયે એમને ચૂંટણી ન લડવા વિશે પૂછવામાં આવ્યું હતું અને એ વાતનો જવાબ આપતા એમને કહ્યું હતું હતું કે મેં સામેથી પાર્ટીને કહ્યું હતું કે મારે આ વખતે ચૂંટણીમાં ભાગ નથી લેવો. નવા લોકોને પણ મોકો મળવો જોઈએ. વિજય રૂપાણીને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું હતું કે સરકારમાં આટલા મોટા પદ પર રહ્યા પણ આ વખતે તમે ચૂંટણી નહીં લડો એ તમે નક્કી કર્યું કે પાર્ટી એ નક્કી કર્યું?
હું પાંચ વર્ષ માટે મુખ્ય મંત્રી રહી ચૂક્યો છું
આ સવાલનો જવાબ આપતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે , ' મેં પહેલા જ પાર્ટીને કહી દીધું હતું કે આ વખતે હું ચૂંટણી નહીં લડું કારણકે હું પાંચ વર્ષ માટે મુખ્ય મંત્રી રહી ચૂક્યો છું અને હવે હું માંનું છું કે નવા લોકોને મોકો મળવો જોઈએ. આવ્યા પ્રયોગ ગુજરાતમાં થવા જોઈએ અને પાર્ટીને આગળ વધારવા માટે નવા નવા લોકોને આગળ કરવા જરૂરી હતા અને આ વાત મને ખબર છે એટલે મેં સામેથી પાર્ટીને કહ્યું હતું કે હું આ વખતે ચૂંટણી નહીં લડું.
PM મોદીના પ્રત્યે લોકોને આદર છે: રૂપાણી
રાજકોટથી પૂર્વ CM વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણી પણ અનિલ જ્ઞાનગંગા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ સૌને મતદાન કરવા અંગેની પણ અપીલ કરી હતી. વિજય રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, 'ભાજપ ભારે બહુમતથી જીતશે. લોકતંત્રની રક્ષા માટે મતદાન કરવું જરૂરી છે. PM મોદીના પ્રત્યે લોકોને આદર છે.' જ્યારે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, 'ભાજપ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે.' આ સાથે જ વિજય રૂપાણીએ કહ્યું હતું કે ભારતમાં રેકોર્ડ થશે કે એક જ રાજ્યમાં એક જ પાર્ટીને સાતમી વખત બહુમતીથી જીતીને સરકાર બનાવશે.
શું 2024માં લોકસભાની ચૂંટણી લડશે રૂપાણી?
આ વિશે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'હું પાર્ટીનો એક કાર્યકર્તા છું અને પાર્ટી મને જે જવાબદારી સોંપી છે એ હું નિભાવું છું. હાલ પાર્ટીએ મને ચંડીગઢ અને પંજાબનો પ્રભારી બનાવ્યો છે અને આવનાર 2024 ની ચૂંટણીમાં પંજાબમાં વધુને વધુ સીટ ભાજપને મળે એ દિશામાં હું કામ કરું છું.