વીમો..આજના જીવનમાં ખુબ જરૂરી બની ગયો છે. મિડલ ક્લાસ માણસ માટે દરેક મુસીબત માટે પૈસા નથી હોતા માટે જ તે વીમા કંપનીનો સહારો લે છે. તમે આરોગ્ય, મુસાફરી, અકસ્માત અંગેના વીમા કવર વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમને ભાગ્યે જ જાણ હશે કે, એલિયન, વેમ્પાયર અને લગ્ન પહેલાં દુલ્હન ભાગવા ઉપર પણ વીમો ઉપલબ્ધ છે. ચાલો જાણીએ આ કેટલીક વિશેષ વીમા યોજનાઓ વિશે.
વિચિત્ર વીમા વિશે ક્યારેય સાંભળ્યુ છે
વર કે દુલ્હન ભાગી જાય તો મળશે વીમો
ભૂતથી બચવા કરાવે છે લોકો વીમો
વર કે દુલ્હન પર વીમો
ઘણી વાર એવુ થાય છે કે લગ્ન પહેલા દુલ્હન કે વરરાજા ભાગી જાય છે, તો આ માટે તમે ઘણી વીમા કંપનીઓ પાસેથી વીમાના રૂપિયા લઈ શકો છો. આ પોલિસીમાં તમે વીમા કંપનીઓ પાસેથી લગ્ન માટે સજાવટ કે અન્ય કોઈ ખર્ચ કરેલા પૈસા માટે દાવો કરી શકો છો. જણવારનો પણ તેમાં સમાવેશ થાય છે.
શું છે લગ્ન વીમા પોલિસી
વીમા કંપનીઓ પાસે લગ્ન માટે ઘણા પ્રકારની પોલિસી હોય છે. તમારી જરૂરિયાતો અનુસાર પેકેજ તૈયાર રહે છે, જેમાંથી તમે સિલેક્ટ કરશો તે પ્રમાણે પેકેજ તમને આપવામાં આવશે.
લગ્ન વીમો કેમ જરૂરી છે
લગ્ન કેન્સલ થવા પર, તમારા ઘરેણાની ચોરી થઇ હોય અથવા તો અકસ્માત થવા પર લગ્ન કેન્સલ રહે તેની માટે વીમો જરૂરી છે. એવી તમામ સમસ્યાઓ માટે લગ્ન વીમો તમારી મદદ અને સુરક્ષા કરશે. એક સારી વીમા પોલિસી દ્વારા તમે તમારા નુકસાનની ભરપાઈ કરી શકો છો. તો હવે તમે જાણી લીધુ હશે કે લગ્ન વિમો કેમ જરૂરી છે.
કેટલી વસ્તુઓનો થાય વિમો?
એલિયન્સ દ્વારા અપહરણ પર વીમા યોજના એલિયન્સ દ્વારા અપહરણ કરવા પર વીમો મળે છે. આવા વીમા આપવાની પ્રથમ કંપનીનું મુખ્ય મથક ફ્લોરિડામાં છે, તેનું નામ સેન્ટ લોરેન્સ એજન્સી છે.
લગ્ન માટે બુક કરાવેલ હોલ અથવા રિસોર્ટના એડવાન્સ નાણાંનો વીમો લેવામાં આવે છે.
ટ્રાવેલ એજન્સીને કરેલા એડવાન્સ પેમેન્ટ, હોટલનું એડવાન્સ બુકિંગ, વેડિંગ કાર્ડનું પેમેન્ટ, વેડિંગ વેન્યૂ સેટથી લઈને અન્ય સજાવટ અને સંગીત માટે વીમો હોય છે.
એલિયન્સ દ્વારા અપહરણ પર વીમા યોજના એલિયન્સ દ્વારા અપહરણ કરવા પર વીમો મળે છે. આવા વીમા આપવાની પ્રથમ કંપનીનું મુખ્ય મથક ફ્લોરિડામાં છે, તેનું નામ સેન્ટ લોરેન્સ એજન્સી છે.
તે સમયથી એક એવો અંદાજ છે કે વિશ્વભરમાં 20 હજારથી વધુ લોકોએ આ વીમાની પસંદગી કરી છે. એલિયનનો ડર લોકોમાં ખૂબ જ વધારે છે, તેથી જ તેઓએ આ વીમો લીધો છે.
KBCની રકમનો વિમો
તમે જાણો છો કે કોન બનેગા કરોડપતિમાં મળેલી ઇનામની રકમ શોના નિર્માતાઓ દ્વારા નહીં, પરંતુ વીમા કંપનીઓ દ્વારા વહેંચવામાં આવે છે. તેથી, જ્યારે પણ કોઈ વ્યક્તિ કરોડોની ઇનામી રકમ જીતે છે, તે વીમાદાતાની જવાબદારી બને છે. જો તમે તમારી કિંમતી સંપત્તિનો વીમો લેવા માંગતા હોય, તો તમે તે લઈ શકો છો.
વેમ્પાયરથી બચવા વિમો લો
કેટલાક લોકોને વેમ્પાયરથી ડર લાગે છે. વેમ્પાયરમાં વિશ્વાસ કરનારા લોકો અસ્તિત્વમાં છે અને તેમના ડરને કારણે વિમો પણ લે છે. વાત થોડી અજીબ છે પરંતુ લંડનમાં આવેલી વીમા કંપની Lloydsએ લોકો માટે એવી પોલિસી કસ્ટમાઇઝ કરી છે. માત્ર આટલુ જ નહીં, દુનિયામાં કેટલીક જગ્યાએ ભૂત-પ્રેત પર વિશ્વાસ કરવામાં આવે છે. આ સાથે સંકળાયેલા જોખમને ધ્યાનમાં રાખીને, કાનૂની પેરા નોર્મલ સોસાયટીઓ કે જેઓ આવી તપાસ કરે છે.