ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડ માટે રવાના થશે તે પહેલા 18 જૂનથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમશે.
આવતા મહિને ઇંગ્લેન્ડ જશે ટીમ
સંક્રમિત ખેલાડી નહી જાય ઇંગ્લેન્ડ
BCCIએ આપી છે સખ્ત સુચના
BCCIએ આદેશ કર્યો છે કે જો કોઇ પણ ખેલાડી સંક્રમિત થશે તો તે પોતાને આ પ્રવાસથી બહાર જ સમજી લેય તેને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટન સુંદરના પિતા એમ સુંદરે પોતાના દિકરાને આ ભયંકર વાયરસથી બચાવવા માટે એક નિર્ણય કર્યો છે.
વૉશિંગ્ટનના પિતાએ આ નિર્ણય કર્યો છે કે 19 મે સુધી તે તેના દિકરાથી દૂર રહેશે. સુંદરના પિતા ચેન્નઇમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર છે અને તેમને અઠવાડીયામાં 3 દિવસ ઓફીસ જવુ પડે છે.
ચેન્નઇમાં આ સમયે કોરોનાના કેસ વધી રહ્યાં છે અને તેમણે નિર્ણય કર્યો કે તે દિકરા સાથે નહી રહે અને ઓનલાઇન તે તેના પરિવાર સાથે જોડાયેલા રહેશે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સુંદરે કહ્યું કે, જ્યારથી આઇપીએલ આવી છે ત્યારથી હું એક અલગ ઘરમાં રહી રહ્યો છું. મારી માતા અને બહેન સાથે રહે છે પિતા વીડિયો કોલથી જોડાયેલા રહે છે. સુંદરના પિતાએ કહ્યું કે, તે ઇચ્છતા નથી કે તેમના કારણે કોઇ કોરોનાથી સંક્રમિત થાય.