ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં જે રીતે આનંદી બહેન પટેલે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા રાજીનામું ધરી દીધુ હતું એ જ રીતે વિજય રૂપાણી પણ કાર્યકાળ પૂર્ણ ના કરી શક્યા ગુજરાતથી માંડીને દેશની રાજનીતિમાં એક જ ચર્ચા છે કે,આખરે એવું કયું કારણ છે કે,રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપવું પડ્યું ? ગુજરાતમાં પાટીદાર સમાજનું જબરું પ્રભુત્વ છે.કહેવાય છે કે, લોકસભામાં જ્યારે ગુજરાતની બે જ બેઠક હતી ત્યારે, કેશુભાઈ,કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા એ ભાજપને બેઠો કરવા દિવસ-રાત એક કર્યા હતા. કેશુભાઈ પટેલ જેમણે રાજનીતિમાં બાપા તરીકે સન્માનન્નીય દરજ્જો મળ્યો હતો.તેમણે સમાજના વિવિધ ઉદ્યોગપતિઓને ભાજપ સાથે જોડ્યા અને ભાજપે ગુજરાતમાં કેશુભાઈના વડપણ હેઠળ સતા મેળવી હતી. વિધાનસભામાં કેશુભાઈ પટેલે મેળવેલી બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પણ નથી મળી શકી. મૂળ વાત એ કે, મુખ્યમંત્રી રૂપાણી સરકારમાં પણ પાટીદારોનો દબદબો રહ્યો છે. આ એટલા માટે યાદ અપાવીએ છીએ કે, વિજય રૂપાણીનું રાજીનામું અને ખોડલ ધામના પ્રમુખ,પાટીદાર આગેવાન નરેશ પટેલના 'પાટીદાર મુખ્યમંત્રી'ના નિવેદનને કોઈ સીધો સંબંધ છે ? શું ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ચૂંટણીના સવા વર્ષ પહેલા જ ગુજરાતમાં પાટીદાર પાવર હાઉસ ઉભું કરી મિશન 150 પૂરું પાડવા માંગે છે? શું કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલ્સ માં ખાટ્લા ઉપલબ્ધ નાં હોવા, ઓક્સિજનની અછત,દર્દીઓને એમ્બ્યુલન્સ ના મળવી,દર્દીઓની દાખલ થવા માટે લાંબી કતારો, શબવાહિની ના મળવી અને સ્મશાન સુદ્દ્ધામાં લાંબી કતારો લાગવી જેવા પરિબળ પણ મુખ્યમંત્રી સામે કેન્દ્ર સરકારની નારાજગી હોય શકે છે.વિજય રૂપાણીના રાજીનામાને લઈને કોન્ગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ સરકારની આ નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી.
આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ- નરેશ પટેલ
ખોડલધમના ચેરમેન નરેશ પટેલે અગાઉ નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઊંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા.
રાજીખુશીથી રાજીનામું આપ્યાની કરી વાત
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે હું ભાજપનો આભાર માનુ છું. મને તક આપવા બદલ PM મોદી અને અમિત શાહનો આભાર. મને પાર્ટી તરફથી જે જવાબદારી મળશે તે હું નિભાવીશ. મેં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. અને મને જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવીશ. મને સમગ્ર ગુજરાતની જનતાનો સારો સહયોગ મળ્યો છે. મને જે જવાબદારી મળશે તે સ્વીકારીશ. વિજય રૂપાણીએઅ કહ્યું કે નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે. આ રીલે રેસ છે બધા દોડતા જાય છે અને આગળ વધે છે. મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની ચૂંટણી લડશે.
કિરીટ ગણાત્રા એ VTVને શું કહ્યું ?
અકિલા અખબારના તંત્રી કિરીટ ગણાત્રાએ VTV સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, ગોરધન ઝડફિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. ખાસ કરીને 2022ની ચૂંટણી પહેલા પાટીદારો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચાલ્યું આવે છે. ત્યારે ગોરધન ઝડફિયા પાટીદાર સમાજ અને અન્ય સમાજોમાં પણ જાણીતા છે.
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.
જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે. લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
ગોરધન ઝડફિયા નવા મુખ્યમંત્રીની ચર્ચામાં પ્રથમ
અકિલા અખબારના તંત્રી કિરીટ ગણાત્રાએ VTV સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, ગોરધન ઝડફિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. ખાસ કરીને 2022ની ચૂંટણી પહેલા પાટીદારો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચાલ્યું આવે છે. ત્યારે ગોરધન ઝડફિયા પાટીદાર સમાજ અને અન્ય સમાજોમાં પણ જાણીતા છે.
વિજય રૂપાણીનો રાજકીય સફર -હાઈલાઈટ્સ
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે