એક તરફ કોરોનાની માહામારી ચાલી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યુ છે. ગાઈડલાઈન અને નિયમોનું અનુસરણ થઈ રહ્યુ છે. પરંતુ નેતાઓ માટે નથી કોઈ નિયમ કે નથી કોઈ ગાઈડલાઈન. હા વાત છે ભાજપ અને કોંગ્રેસ બન્નેની. નવસારી અને મોરબીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મીટિંગોનું આયોજન કર્યુ,. સ્વાગત કાર્યક્રમો યોજ્યા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા.
પેટાચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સક્રીય થયા છે અને વિવિધ શહેરોમાં મિટિંગોનું આયોજન કરી રહ્યા છે. ગઈકાલની જ વાત કરીએ તો મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં મિટિંગ યોજી અને કાર્યકરોને સંબોધન કર્યુ અને કોરોનાની મહામારીમાં નિયમોને નેવે મુકી દીધા. ત્યારે અહીં સૌથી મોટા સવાલ એ થાય છે કે શું મહામારીના સમયે પણ નેતાઓને નથી છૂટતો સત્તાનો મોહ .શું નેતાઓ માટે નથી હોતા કોઈ સોશિયલ ડિસ્ટન્સના નિયમ. શું નેતાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં તકલીફ પડે છે. કેમ સામાન્ય માનવી માટે જ હોય છે નિયમો. કેમ નેતાઓને 20 વ્યક્તિ 50 વ્યક્તિ ભેગા કરવા બદલ નિયમો લાગૂ ના પડે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન