મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાતને લઇને ઇન્કાર કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે હાલ મનસે સાથે ગઠબંધનને લઇને કોઇ વિચારણા નથી.
ફડણવીસે કહ્યું કે રાજ ઠાકરે સાથે મુલાકાત થઇ નથી
હાલમાં મનસે સાથે ગઠબંધનને લઇને કોઇ વિચાર નહીં
ફડણવીસે કહ્યું ભવિષ્યમાં આ અંગે જરૂરથી વિચારીશું
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સમાચાર આવ્યાં હતાં કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને મનસે પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે મુલાકાત થઇ હતી.
જો દેવેન્દ્ર ફડણવીસે કોઇ મુલાકાત થઇ નહીં હોવા અંગે જણાવ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતા ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટી અને મનસે વચ્ચે કોઇ વિચારોને લઇને કોઇ એકમત નથી. આ અગાઉ મંગળવારના રોજ બંને નેતાઓ વચ્ચે મુલાકાતને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું હતું.
બંને વચ્ચેની મુલાકાતને લઇને અટકળો લગાવામાં આવી હતી કે શિવસેના સાથેનું ગઠબંધન તૂટી ગયા બાદ ભાજપ હવે મનસે સાથે રાજ્યમાં ગઠબંધન કરી શકે છે.
જો કે વિધાનસભા વિપક્ષના નેતા ફડણવીસે મુંબઇ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું કે હું મનસેના પ્રમુખ રાજ ઠાકરેને મળ્યો નથી અને હાલમાં તેમના પક્ષ સાથે ગઠબંધન કરવાની કોઇ યોજના નથી. ફડણવીસે જણાવ્યું કે ભાજપ એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે અલગ સંગઠનો સાથે કામ કરવાના પક્ષમાં છે. અમે ભવિષ્યમાં આ અંગે વિચાર જરૂરથી કરીશું.