શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અંગે NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય સિંહે ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ આર્યન સાથે વાત કરવા ગયા ત્યારે તેણે શું કહ્યું હતું.
ડ્રગ્સ કેસ વિશે શું કહ્યું હતુ આર્યન ખાને?
NCB ડેપ્યુટી ડાયરેક્ટરે કર્યો ખુલાસો
રડતા રડતા શાહરૂખે કહી હતી આ વાત
સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસ બાદ તેના જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 2 ઓક્ટોબર 2021ના રોજ કિંગ ખાનના પુત્રની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ શાહરૂખ ખાન કે તેના પરિવારના કોઈ સભ્યએ આ વિશે કંઈ કહ્યું નથી.
સંજય સિંહે કહી આ વાત
હવે NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય સિંહે એક ઈન્ટરવ્યુમાં આર્યન ખાનના નિવેદન પર ખુલાસો કર્યો છે. સંજય સિંહે જણાવ્યું કે જ્યારે તેઓ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સાથે વાત કરવા ગયા તો સ્ટાર કિડ તેના વિશે ખચકાયા વગર વાત કરી અને પૂછ્યુ શું તે આના લાયક હતો?
આર્યન ખાને કહી આ વાત
આર્યને પહેલી વખતે ડ્રગ્સ વિશે સંજય સિંહને કહ્યું હતું કે, “સર, તમે મને ઈન્ટરનેશનલ ડ્રગ સ્મગલર બનાવી દીધો છે. હું ડ્રગ્સમાં પૈસા રોકું છું. શું આ આરોપ વાહિયાત નથી? તેઓને મારી પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તેમ છતાં તેઓએ મારી ધરપકડ કરી. સર તમે મારી સાથે ઘણું ખોટું કર્યું છે અને મારી પ્રતિષ્ઠા બગાડી છે.
મારે આટલા અઠવાડિયા જેલમાં કેમ વિતાવવા પડ્યા? શું હું ખરેખર તેને લાયક હતો?" સંજય સિંહે એ પણ જણાવ્યું કે, રડતા રડતા શાહરૂખ ખાને તેમને કહ્યું કે લોકો તેને 'રાક્ષસ' તરીકે દર્શાવી રહ્યા છે, પરંતુ તે વધુ મજબૂત થઈ રહ્યો છે.
NCBએ આર્યન ખાનને આપી છે ક્લીનચીટ
તમને જણાવી દઈએ કે NCBએ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી દીધી છે. એનસીબીએ પોતાની ચાર્જશીટમાં લખ્યું છે કે આર્યન સામે પુરાવા મળ્યા નથી. એટલે કે એનસીબીને આર્યન ખાને ડ્રગ્સ લીધુ હોય તેવા પુરાવા મળ્યા નથી.