વિદેશી મીડિયા પણ ચૂંટણીને કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ગણી રહી છે ત્યારે ભારતના આ વ્યક્તિએ કર્યા છે સવાલ
જો રોજ 3000 લોકોનાં મોત થતાં હોય તો પછી સ્મશાનોમાં ભીડ કેમ?
ચુંટણી દરમ્યાન યોજાયેલી રેલીઓ જ છે "અસલી સુપર સ્પ્રેડર"
વેકસીનેશનને રાજકારણથી દૂર રાખો
જો રોજ 3000 લોકોનાં મોત થતાં હોય તો પછી સ્મશાનોમાં ભીડ કેમ?
ઇંડિયન ઓવરસિઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ભારતમાં કોરોનાનાં કારણે થતાં મૃત્યુનો આંકડો જોઈ સવાલ કર્યા છે કે આ આંકડો તેમની સમજ બહારનો છે. તેમણે કહ્યું કે ભારતમાં અંદાજિત દરરોજ 30 હજાર લોકોનાં મોત થતાં હોય છે, એવામાં જો કોરોનાથી રોજ બીજા 3000 લોકોનાં મોત થતાં હોય તો પછી સ્મશાનોમાં લાંબી લાઈનો લાગવી ન્ જોઈએ.
ચુંટણી દરમ્યાન યોજાયેલી રેલીઓ જ છે "અસલી સુપર સ્પ્રેડર"
પિત્રોડાએ હાલમાં જ પૂરી થયેલ વિધાન સભા ચૂંટણી દરમ્યાન યોજાયેલી રેલીઓને "સુપર સ્પ્રેડર" ગણીને કહ્યું કે ભારતમાં ચાલી રહેલ વેકસીનેશનને રાજકારણથી દૂર રાખવું જોઈએ. ભારતમાં ટેલિકોમ ક્રાંતિનાં સૂત્રધાર અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની નિકટ રહી ચૂકેલા સામ પિત્રોડાએ "ડીકોડિંગ ઇલેક્શન" નામની યુટ્યુબ ચેનલમાં ઇંટરવ્યું દરમ્યાન કહ્યું હતું કે ભારતમાં અંદાજિત દરરોજ 30 હજાર લોકોનાં મોત થતાં હોય છે, એવામાં જો કોરોનાથી રોજ બીજા 3000 લોકોનાં મોત થતાં હોય તો પછી સ્મશાનોમાં લાંબી લાઈનો લાગવી ન્ જોઈએ
વેકસીનેશનને રાજકારણથી દૂર રાખો
જો કોરોનાથી રોજ ત્રણ હજાર લોકો મૃત્યુ પામતા હોય તો પછી સ્મશાનોમાં લાઈન કેમ લાગે છે? આનો સીધો અર્થ એ થાય છે કે જે આંકડો આપણે જોઈ રહ્યા છીએ તે ખોટો છે. વેકસીનેશન પર તેમણે કહ્યું કે વેકસીનેશનને રાજકારણથી દૂર રાખવું જોઈએ, કારણકે આ એક જટિલ પ્રક્રિયા છે. ઉત્પાદક અને વિતરકે આ વિષય પર વિચારવું જોઈએ કે વેક્સિનની જરૂરિયાત કઈ રીતે પૂરી કરી શકાય.
કોરોનાની બીજી લહેરને લઈને તેમણે કહ્યું કે આ માટે "અસલી સુપર સ્પ્રેડર" તો ચૂંટણીમાં યોજેલી રેલીઓ જ રહી. પ્રધાનમંત્રીએ માસ્ક નાં પહેર્યું અને લોકોને ગેરસમજણ થઈ કે હવે કોઈ વાંધો નથી. બની શકે કે આ અજાણતા થઈ ગયું હોય. સાથે જ તેમણે કહ્યું કે આવનારા સમયમાં લોકતંત્રમાં ઘણા મોટા બદલાવ આવશે. જો મારી પાસે વિકલ્પ હોય તો હું EVM ની જગ્યાએ મોબાઈલ ફોનથી વોટિંગ કરાવું, કારણકે કે તે EVM કરતાં વધુ સુરક્ષિત છે અને તેના પર કોઈ વિવાદ પણ ના થાય !