સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયનના મોત અંગે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં દિશાએ આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને પોલીસ આ મામલે ઘણું બધું છુપાવી રહી છે. આ પ્રકારના આરોપો મુંબઈ પોલીસ ઉપર પણ લગાવવામાં આવી રહ્યા છે. તેના પર શુક્રવારે મુંબઇ પોલીસે મૌન તોડ્યું અને તમામ સવાલોના જવાબ આપ્યા છે.
દિશા સાલિયાને મરતા પહેલાં 100 નંબર ડાયલ કર્યો હતો
મુંબઈ પોલીસનો મોટો ખુલાસો
શું દિશાના ફોનથી છેલ્લો કોલ તેની મિત્ર અંકિતાને કરવામાં આવ્યો હતો, તેણે છેલ્લીવાર 100 નંબર ડાયલ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ તમામ આરોપો પર મુંબઈ પોલીસના અધિકારીએ શુક્રવારે એએનઆઈથી વાત કરતાં ખોટા ગણાવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ભાજપના ધારાસભ્ય નીતેશ રાણેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને દિશા સાલિયાનના લિવ ઈન પાર્ટનર રોહન રાયની સુરક્ષાની માંગ કરી હતી. તેણે આ માંગ મુંબઈમાં રોહનની સીબીઆઈની પૂછપરછને ધ્યાનમાં રાખીને કરી હતી, જેથી તે પોતાનું નિવેદન નોંધાવી શકે. રાણેએ લખ્યું - સુશાંત સિંહ રાજપૂત અને તેના પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત અંગે તપાસ ચાલી રહી છે, પરંતુ આ આશ્ચર્યજનક વાત છે કે મુંબઈ પોલીસે દિશાના લિવ-ઇન પાર્ટનર રોહન રાયની પૂછપરછ કરી નથી અને એ જાણવાની પણ કોશિશ નથી કરી કે 8 જૂન 2020ના રોજ દિશા સાથે શું થયું હતું.
રાણેએ કહ્યું હતું કે અમે સાંભળ્યું છે કે દિશાની પાર્ટીમાં કંઇક ખોટું થયું હતું, જેના પછી તેણે મલાડ-માલવાનીમાં સ્થિત પોતાનું ઘર છોડી દીધું હતું. આ પછી તેણે 100 નંબર ડાયલ કરીને મદદ માંગી હતી અને તેમને બધું કહ્યું હતું. જોકે, મુંબઈ પોલીસ તેની મદદ કરી શકી નહીં. રાણેએ કહ્યું હતું કે હું સીબીઆઈને લીડ આપી રહ્યો છું અને એજન્સીએ તપાસ કરવી જોઈએ.