ચિરાગ પાસવાનને જ્યારે બીજેપી નેતાની મુલાકાત વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે પોતાના પર્સનલ કામથી અમદાવાદ આવ્યા છે.
ચિરાગ પાસવાન અમદાવાદની મુલાકાતે
પ્રધાનમંત્રી મોદીના ખાસ મોટા નેતા સાથે મુલાકાત કરી હોવાની અટકળો
ભાજપ અને પાર્ટીના સંબંધ વિશે કહી આ વાત
લોક જનશક્તિ પાર્ટીમાં ચાલી રહેલી ઉથલ પાથલની વચ્ચે પાર્ટીના નેતા ચિરાગ પાસવાન સોમવારે અમદાવાદ પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિરાગ પાસવાને પોતાના ગુજરાત પ્રવાસ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના નેતા સાથે મુલાકાત પણ કરી હતી. બન્ને વચ્ચે શું વાતચીત થઈ તે પણ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.
અમદાવાદ આવવાનું કારણ જણાવ્યું
ત્યાં જ એરપોર્ટ પર પહોંચેલા ચિરાગ પાસવાન તે સવાલનો સીધો જવાબ આપવાથી બચી રહ્યા હતા. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તે એક વરિષ્ઠ વીજેપી નેતા સાથે મુલાકાત કરવા માટે અમદાવાદ આવ્યા હતા? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે ના તે પોતાના પર્સનલ કામ માટે અમદાવાની મુલાકાતે આવ્યા હતા.
મહત્વનું છે કે પોતાની પાર્ટીમાં પડકારોનો સામનો કરી રહેલા લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને કહ્યું કે ભાજપની સાથે તેમના સંબંધ એક તરફી નથી અને જો તેમને ઘેરવાનો પ્રયત્ન યથાવત રહ્યો તો તે પોતાના ભવિષ્યના રાજનૈતિક પગલાંઓને લઈને દરેક સંભાવનાઓ પર વિચાર કરશે.
પાર્ટી અને પ્રધાનમંત્રી વિશે શું કહ્યું?
થોડા દિવસો પહેલા ચિરાગે કહ્યું હતું કે તેમના પિતા રામવિલાસ પાસવાન અને તે હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપ સાથે 'ચટ્ટાન'ની જેમ ઉભા રહ્યા છે. પરંતુ હવે આવી ખરાબ પરિસ્થિતિ વખતે તેમના હસ્તક્ષેપની આશા હતી. તો ભાજપ સાથે ન હતી.
તેમણે એવું પણ જણાવ્યું કે "તેમનો વિશ્વાસ પીએમ મોદી પર કાયમ છે. પરંતુ જો તેમને ઘેરવામાં આવશે, ધકેલવામાં આવશે અને કોઈ નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવે છે તો પાર્ટી દરેક સંભાવનાઓ પર વિચાર કરશે. લોજપાએ પોતાના રાજનૈતિક ભવિષ્ય વિશે આ આધાર પર નિર્ણય લેવાનો રહેશે કે કોણ તેમની સાથે ઉભુ છે અને કોણ નહીં?"