અનલોક-3માં હીરા ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હીરા બજાર બપોરે 12થી 6 સુધી ચાલુ રહેશે. હીરા ઘસવાની ઘંટી પર બે કારીગરો કામ કરી શકશે. અગાઉ હીરા ઉદ્યોગમાં છૂટછાટ માટે રાજકીય આગેવાનો અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી
અનલૉક-3માં હીરા ઉદ્યોગને કારણે મોટી રાહત
હીરા બજાર બપોરે 12થી 6 સુધી રહેશે ચાલુ
હીરા ઘસવાની ઘંટી પર બે કારીગરો કરી શકશે કામ
સુરતમાં કોરોનાને કહેર વધી રહ્યો છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે. જેને લઇને હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવેથી હીરા બજાર બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મહત્વનું છે કે, આ અગાઉ હીરા બજાર ખુલ્લુ રાખવાનો સમય બપોરે 2થી લઈને 4 વાગ્યા સુધીનો હતો. આ ઉપરાંત હીરાની ઘંટી પર બે રત્નકલાકાર કામ કરી શકશે.
મહત્વનું છે કે, કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી 2 ઓગસ્ટે ફરી સુરતની મુલાકાતે જશે. CMની સંભવિત મુલાકાતને લઇ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને બેદરકારીઓ સામે આવી રહી છે. સુરતમાં કોરોનાથી વધતો મૃત્યુદર પણ ચિંતાનો વિષય છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
રાજ્યમાં ગઇકાલે કોરોના વાયરસના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 1159 કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 271 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 54 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 12,785 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 220 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 8,839 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 403 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3543 એક્ટિવ કેસ છે.