દેશભરમાં હાલમાં ગણેશ ઉત્સવની સોમવારથી જ શરૂઆત થઇ ગઇ છે. દેવોમાં સર્વપ્રથમ પૂજવામાં આવતા ભગવાન શ્રી ગણેશજીની આરાધના અને પૂજા માટે ભક્તોએ તેમનાં વિવિધ સ્વરૂપોની સ્થાપના કરી છે. ડાયમંડ નગરી સુરતમાં દેશનાં સૌથી વિશાળ ગણપતિજીની સ્થાપના એક વેપારીએ પોતાનાં ઘરમાં કરી છે.
સુરતનાં કતારગામ વિસ્તારમાં ડાયમંડનાં વેપાર સાથે જોડાયેલ રાજેશભાઇ પાંડવ રહે છે. ડાયમંડ વેપારી રાજેશ પાંડવે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનાં ઘરમાં ડાયમંડ ગણેશજીની સ્થાપના કરી છે. દેશભરમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવનાં ગણેશ પંડાલોમાં આપ વિવિધ પ્રકારની મૂર્તિ જોઇ શકો છો કે જે ખૂબ મોંઘી પણ હોય છે.
હીરાનાં ભગવાન ગણેશજીની કિંમત 500 કરોડ
સુરતનાં પાંડવ પરિવારનાં ઘરમાં વિરાજમાન ડાયમંડનાં ગણેશજીની કિંમત કરોડોમાં છે. ગણેશ ઉત્સવને કારણ પોતાનાં ઘરમાં 27.74 કેરેટનાં ડાયમંડ ગણેશજીની સ્થાપના કરનારા ડાયમંડ વેપારી રાજેશ ભાઇની નજરમાં ડાયમંડ ગણેશજીની કિંમત અનમોલ છે. આ તેમની શ્રદ્ધાનો વિષય છે. સુરતનાં હીરાનાં વેપારીનાં ઘરમાં સ્થાપિત ડાયમંડનાં ભગવાન શ્રી ગણેશજીની કિંમત 500 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે કે જે દેશનાં સૌથી મોંઘા ગણેશ છે પરંતુ રાજેશ ભાઇ આ ડાયમંડ ગણેશજીને અનમોલ જણાવી રહ્યાં છે.
દક્ષિણ આફ્રીકાથી આવ્યાં હતાં ભગવાન શ્રી ગણેશજીની જેમ દેખાતો હીરો
ડાયમંડનાં ભગવાન ગણેશજી સુરતનાં હીરાનાં વેપારી રાજેશ પાંડવની પાસે વર્ષ 2005માં આવ્યાં હતાં. ડાયમંડ સ્વરૂપી ભગવાન શ્રી ગણેશજીની આ મૂર્તિ દક્ષિણ આફ્રીકાથી આવી હતી. રાજેશે સુરતમાં વેચાણ માટે આવેલ આ હીરાને ખરીદ્યો હતો કે જે બરાબર ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનાં આકારનો જ હતો. ત્યારથી જ તેઓ દરેક ગણેશ ઉત્સવમાં સ્થાપના કરીને પૂજા અર્ચના કરતા આવી રહ્યાં છે. હવે ડાયમંડ ગણેશજી પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા છે અને વાત જો શ્રદ્ધાની હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાતા હોય છે.