ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, જેમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહેવું જરૂરી છે. વધુ સમય સુધી બ્લડ શુગર કંટ્રોલમાં ના આવે તો શરીરના અનેક અંગ ડેમેજ થવાનું જોખમ રહે છે.
• ગરમીમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહેવું જરૂરી છે.
• બ્લડ શુગર કંટ્રોલમાં ના રહે તો શરીરના અનેક અંગ ડેમેજ થઈ શકે છે.
• બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા શું કરવું જોઈએ?
ડાયાબિટીસની બિમારી તેજીથી વધી રહી છે. જેના કારણે દર્દીનું બ્લડ પ્રેશર વધવા લાગે છે, જેના કારણે વધુ તરસ લાગે છે, વારંવાર પેશાબ લાગે છે અને થાક લાગે છે, વજન ઘટે છે અને દ્રષ્ટી નબળી થવા જેવી અનેક સમસ્યા થવા લાગે છે. વધુ સમય સુધી બ્લડ શુગર કંટ્રોલમાં ના આવે તો શરીરના અનેક અંગ ડેમેજ થવાનું જોખમ રહે છે. ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, જેમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહેવું જરૂરી છે.
જે વસ્તુઓનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ લેવલ ઓછો હોય તેવું વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ગરમીમાં પાણી તથા અન્ય લિક્વિડ પદાર્થનું વધુ સેવન કરવામાં આવે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો, મીઠા તથા કેલરીયુક્ત પીણાનું સેવન ના કરવું જોઈએ. ગરમીમાં મીઠા પીણીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.
ફેટ ટૂ સ્લિમના ડાયરેક્ટર અને ન્યૂટ્રિશનિસ્ટ એન્ડ ડાયેટીશિયન શિખા અગ્રવાલે આ અંગે વિગતવાર જાણકારી આપી છે. ગરમીમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા અને ગરમીથી બચવા શું કરવું જોઈએ તે અંગે જણાવવામાં આવ્યું છે.
પાણી પીવો
બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં ના રહે તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી પેશાબની મદદથી એક્સ્ટ્રા ગ્લૂકોઝથી છુટકારો મળે છે અને બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.
લીંબુ પાણી
ગરમીમાં લોકો ખાંડ નાખીને લીંબુ પાણીનું સેવ કરે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો, તો તમારે ખાંડની જગ્યાએ લીંબુ પાણીમાં સંચળ નાખીને તેનું સેવન કરવું જોઈએ.
વેજિટેબલ જ્યૂસ
ગરમીમાં ફ્રૂટ જ્યૂસનું સેવન ના કરવું જોઈએ. ફ્રૂટમાં નેચરલ શુગર હોય છે, જેના કારણે બ્લડ શુગર વધી શકે છે. આ ફ્રૂટ જ્યૂસની જગ્યાએ વેજિટેબલ જ્યૂસનું સેવન કરવું જોઈએ. વેજિટેબલ જ્યૂસ પીવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.
નારિયેળ પાણી
નારિયેળ પાણીને આરોગ્યપ્રદ પીણું ગણવામાં આવે છે. નારિયેળ પાણી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ હોય છે. જેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ અને નેચરલ શુગર ઓછી હોય છે. નારિયેળ પાણીમાં રહેલ પોષક તત્ત્વને કારણે બ્લડ શુગર નિયંત્રિત રહે છે.
છાશ
છાશ એક ભારતીય પીણું છે જે આરોગ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. આ એક પ્રોબાયોટિક છે, જેના કારણે આંતરડા સ્વસ્થ રહે છે. છાશ પીવાથી બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ શકે છે. છાશમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ, ફેટ અને કેલરી ઓછી હોય છે, આ કારણોસર ડાયાબિટીસના દર્દીઓ માટે છાશ ખૂબ જ લાભકારી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુ માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.