ઉનાળામાં શેરડીનો રસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોને શેરડીનો રસ પીવાથી નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે?
ઉનાળામાં શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક
પરંતુ આ લોકોએ ન પીવો જોઈએ શેરડીનો રસ
ફાયદાની જગ્યા પર શરીરને થશે નુકસાન
ઉનાળામાં શરીરને ઠંડુ અને તાજગીથી ભરપુર રાખવા શેરડીનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે શેરડીના રસમાં વધુ માત્રામાં એનર્જી, મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ હોય છે તેથી ઉનાળામાં શેરડીનો રસ પીવા માટે સલાહ આપવામાં આવે છે.
પરંતુ શેરડીનો રસ દરેક માટે ફાયદાકારક ન હોઈ શકે. શેરડીનો રસ પીવાથી કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. જેમ કે ફૂડ પોઈઝનિંગ, સ્થૂળતા અને શરદીના કિસ્સામાં શેરડીનો રસ બિલકુલ ન પીવો જોઈએ. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે કયા લોકોએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ.
આ લોકોએ ન પીવો જોઈએ શેરડીનો રસ
ફૂડ પોઈઝનિંગ થવા પર
જો તમને ફૂડ પોઈઝનિંગ થાય તો શેરડીનો રસ બિલકુલ ન પીવો જોઈએ. કારણ કે તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. આનું કારણ એ છે કે લારી પર શેરડીનો રસ બનાવવામાં આવે છે. આ દરમિયાન માખીઓ પણ શેરડી પર બેસી રહે છે. જે શેરડીના રસને એનહેલ્ધી બનાવે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે.
માથામાં દુખાવો થવા પર
શેરડીનો રસ પણ માથાનો દુખાવો કરી શકે છે. માથાના દુખાવાની સમસ્યા હોય તો શેરડીનો રસ પીવાનું ટાળો. કારણ કે શેરડીનો રસ પીવાથી તમારી સમસ્યા વધી શકે છે.
શરદી-ખાંસી થઈ હોય ત્યારે
જ્યારે તમને શરદી હોય ત્યારે શેરડીનો રસ ન પીવો જોઈએ. આ કારણ છે કે શેરડીના રસમાં ઠંડકની અસર હોય છે. તે શરદી અને ઉધરસની સમસ્યાને વધારી શકે છે.
વધારે વજન હોવા થવા પર
જો તમારું વજન વધારે છે. તો આ સ્થિતિમાં શેરડીનો વધુ રસ પીવાનું ટાળો. શેરડીનો રસ પીવાથી શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે અને તેનાથી તમારું વજન વધી શકે છે. તેથી મેદસ્વી લોકોએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ.
બ્લડ શુગર વધવાના કિસ્સામાં
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો શેરડીનો રસ ન પીવો જોઈએ. કારણ કે શેરડીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં જો તમે શેરડીના રસનું સેવન કરો છો. તો તે શરીરમાં ગ્લાયસેમિક લોડને વધારી શકે છે. જેના કારણે શરીરમાં બ્લડ શુગર વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસથી દૂર રહેવું જોઈએ.