ડાયાબિટીસના દર્દીઓને હંમેશા યોગાસન અને સારો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કેટલાક યોગાસનો કરવાનું ટાળવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ ન કરવા આ યોગાસન
સ્વાસ્થ્યને ફાયદાની જગ્યા પર થશે નુકસાન
જાણો શું રાખવું જોઈએ ધ્યાન
ડાયાબિટીસ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે મોટાભાગના લોકોને ચિંતામાં મૂકી દે છે. આજના સમયમાં માત્ર મોટા જ નહીં પરંતુ બાળકો પણ તેનો શિકાર બની રહ્યા છે. બીજી તરફ ડાયાબિટીસના દર્દીઓને હંમેશા યોગ કરવાની અને સારું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે.
કારણ કે યોગ દ્વારા આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કેટલાક યોગાસનો કરવાનું ટાળવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે બ્લડ સુગરના દર્દીઓએ કયા યોગાસનો ન કરવા જોઈએ?
ડાયાબિટીસના દર્દીઓએ ન કરવા જોઈએ આ યોગાસન
શીર્ષાસન
જો તમને લાંબા સમયથી ડાયાબિટીસ છે અને તમારું બ્લડ શુગર લેવલ ખૂબ જ ઊંચું રહે છે, તો તમારે શીર્ષાસન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે શીર્ષાસન કરવાથી તમારા માથા તરફ લોહીનો પ્રવાહ ઝડપથી વધે છે. આ રીતે બોડી પોશ્ચરમાં તમારી આંખોની નાની બ્લડ વેસલ્સ હાર્ડ થવા લાગે છે. જેના કારણે તમારી દૃષ્ટિમાં ફરક આવે છે. એટલા માટે આ યોગ કરવાનું ટાળો.
શલભાસન
શલભાસન કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે, પરંતુ જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે તેને કરવાનું ટાળવું જોઈએ. આ એટલા માટે કારણ કે શલભાસનનો અભ્યાસ કરવાથી તમારું બ્લડ સુગર લેવલ વધી શકે છે તેથી તેને કરવાનું ટાળો.
મયુરાસન
ડાયાબિટીસના દર્દીઓએ મયુરાસન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ આસન કરવાથી તમારું બ્લડ પ્રેશર એકદમ વધી જાય છે. તમને જણાવી દઈએ કે આ આસન કરતી વખતે તમારું માથું નીચે હોય છે જેના કારણે માથા તરફ લોહીનો પ્રવાહ વધે છે.
ચક્રાસન
ડાયાબિટીસના દર્દીઓએ ચક્રાસન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ યોગ આસન કરતી વખતે કમરને સંપૂર્ણ રીતે ફેરવવી પડે છે, જેના કારણે હૃદયના ધબકારા વધી શકે છે. તેથી આવું કરવાનું ટાળો.