શું મધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડનો સ્વસ્થ વિકલ્પ બની શકે છે? શું ડાયાબિટીસના દર્દીઓ મધનું સેવન કરી શકે છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ
શું ડાયાબિટીસના દર્દીઓ મધનું સેવન કરી શકે?
મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કે નહીં?
મધ ખાંડ કરતાં મીઠું હોય છે.
ડાયાબિટીસ આજકાલ એક મોટી સમસ્યા છે. ઘણા લોકોમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા મળે છે જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરે છે પણ તેઓ નથી જાણતા કે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસ એક રોગ છે જે ખૂબ જ જીવલેણ હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ એ એક લાઈફસ્ટાઈલની બીમારી છે અને ભારતમાં આ બીમારી મહામારીનું રૂપ લઈ રહી છે. ડાયાબિટીસ ઘણા કારણોસર થાય છે અને આવી સ્થિતિમાં તેનાથી બચાવવાની રીતો પણ અલગ છે.
શું ડાયાબિટીસના દર્દીઓ મધનું સેવન કરી શકે?
જે લોકોને ડાયાબિટીસ હોય છે તેને મીઠા ખોરાક અને પીણાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આવી સલાહ એટલા માટે આપવામાં આવે છે કારણ કે મીઠી વસ્તુઓના સેવનથી તેમનું બ્લડ શુગર લેવલ વધી શકે છે. એવામાં ઘણા લોકોના મણેમાં એક સવાલ ઊભો થાય છે કે શું ખાંડની જગ્યાએ ડાયાબિટીસના શિકાર લોકો મધનો ઉપયોગ કરી શકે કે નહીં? શું મધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડનો સ્વસ્થ વિકલ્પ બની શકે છે? શું ડાયાબિટીસના દર્દીઓ મધનું સેવન કરી શકે છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે, તો આજે અમે તમને જણાવીશું કે મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કે નહીં, ચાલો જાણીએ-
એકપર્ટ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ કાર્બોહાઇડ્રેટ અને ખાંડના સેવનને નિયંત્રણમાં રાખવાની જરૂર છે પણ આનો અર્થ એ નથી કે દર્દીઓએ મીઠી વસ્તુ ન ખાવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે સીમિત માત્રામાં મધનું સેવન કરવું તે માત્ર સલામત જ નથી પણ મધમાં રહેલ બળતરા વિરોધી ગુણધર્મોને કારણે ડાયાબિટીસ સાથે સંકળાયેલ ગૂંચવણોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
મધનું સેવન:
હેલ્થ એકપર્ટ અનુસાર સફેદ ખાંડ, શેરડીની ખાંડ અથવા પાઉડર ખાંડ જેવી શુદ્ધ ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ આરોગ્યપ્રદ વિકલ્પ હોય શકે છે. પણ ઘ્યાનમાં રાખવું જોઈએ કે બજારમાં વેચાતી ઘણી કંપનીઓનું મધ પણ એવું હોય છે કે તે સંપૂર્ણપણે શુદ્ધ હોતું નથી અને તેમાં ખાંડ ચાસણી હોય છે. એટલા માટે મધ ખરીદતી વખતે અથવા તેનું સેવન કરતી વખતે તેની શુદ્ધતા ખાસ તપાસવી જોઈએ.
શું ડાયાબિટીસમાં મધનું સેવન સુરક્ષિત છે?
જણાવી દઈએ કે ડાયાબિટીસમાં મધના સેવનને લગતા ઘણા અભ્યાસો અનુસાર શુદ્ધ મધનું સેવન ખાંડ અને અન્ય ગળપણ કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મધનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જો કે મધમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. ખાસ ધ્યાનમાં લેવું કે મધ ખાંડ કરતાં મીઠું હોય છે.
હેલ્થ એક્સપર્ટના મતે મધમાં ખાંડ કરતાં ઓછી ઇન્સ્યુલિનની જરૂર પડે છે અને મધમાં જોવા મળતા આ ગુણોના આધારે એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસથી પીડિત લોકો ઓછી અને મર્યાદિત માત્રામાં મધનું સેવન કરી શકે છે.