ડાયાબિટીસના દર્દીઓ માટે મધ પણ ખૂબ ગુણકારી છે. એટલેકે બ્લડ શુગર નિયંત્રણમાં કરવા માટે દર્દી પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવાની સાથે-સાથે બિલીનો ઉકાળો ટ્રાય કરવો જોઈએ. જેનાથી દર્દીઓને મદદ મળશે. આવો જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે તેનાથી બીજા કયા-કયા ફાયદા મળી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ બિલીનો ઉકાળો ટ્રાય કરવો જોઈએ
બિલીપત્રના ઉકાળામાં ઘણા ઔષધીય ગુણ હોય છે
શરીરમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
દર્દીઓ માટે ફાયદાકારક છે બિલીપત્રનો ઉકાળો
મહત્વનું છે કે બિલીપત્રના ઉકાળામાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે અનેક બિમારીઓને દૂર કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બિલીપત્રનો ઉકાળો લાભકારક છે. આયુર્વેદમાં બિલીપત્રનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે તમારે બિલી પત્રનો ઉકાળો પીવો જોઈએ. આ ઉકાળાને તૈયાર કરવા માટે બિલીના પાનના રસને કાઢી લો. ત્યારબાદ આ રસને 1 કપ પાણીમાં નાખીને સારી રીતે ઉકાળો. ત્યારબાદ આ કપમાં લઇ લો અને તમારા સ્વાદ મુજબ મધના ટીપા નાખીને પીવો. આ ઉકાળો તમારા શરીરમાં શુગરને ઘટાડી નાખે છે. માનવામાં આવે છે કે જો ડાયાબિટીસનો દર્દી દિવસમાં 2 વખત આ ઉકાળાનુ સેવન કરશે તો તેને આવશ્ય ફાયદો મળશે.
આ ઉકાળાથી થશે ફાયદો
ડાયાબિટીસના દર્દીઓ સિવાય બિલીપત્રના ઉકાળાના ઘણા ફાયદા છે. જેનાથી સ્કિન પર ફોલ્લી અને ખંજવાળને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જો તમે જીરા અને બિલીપત્રમાંથી તૈયાર કરેલ ઉકાળાનુ સેવન કરશો તો ફરજીયાત ફાયદો મળશે.
ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સાથે-સાથે સફેદ દાગને દૂર કરવામાં મદદ કરે છે. ખરેખર, બિલીમાં સોરલિન નામનુ તત્વ હોય છે, જે સ્કિનમાં તડકો સહન કરવાની ક્ષમતાને વધારવામાં તમારી મદદ કરે છે. જેમાં કેરોટીન પણ હોય છે. જે સફેદ દાગને હળવો કરવામાં મદદ કરે છે.