જો તમે પણ ડાયાબિટીઝના દર્દી છો કે પછી તમારા ઘરના કોઈ સભ્યને ડાયાબિટીઝ છે તો તે ઘટાડવા માટે અને શુગર કંટ્રોલ ઘટાડવા માટે આ રીત અજમાવો.
તુલસીના પાનના છે ઘણા ફાયદા
ડાયાબિટીસના દર્દીઓમ માટેનો રામબાણ ઈલાજ
વજન ઘટાડવા માટે પણ તુલસી ફાયદાકારક
તુલસીના પાનના છે ઘણા ફાયદા
સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે, સાથે જ ઘરના આંગણામાં તુલસીનો છોડ ઘણો ફાયદા કારક રહે છે. આયુર્વેદમાં પણ તુલસીને ઔષધિ માનવામાં આવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદારૂપ સાબિત થાય છે. ડોક્ટર્સ પણ બદલાતી સિઝનમાં થતી સામાન્ય બીમારી જેવી કે તાવ આવવો, શરદી-ખાંસી અને કફ થવો, આ બધામાં આપણને તુલસીના પાનમાંથી બનાવેલો કાઢો પીવાની સલાહ આપે છે.
એક્સપર્ટ લોકોનું કહેવું છે કે તુલસીના પાન ખાવાથી વધતું વજન અને શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. જો તમે પણ ડાયાબિટીઝના દર્દી છો કે પછી તમારા ઘરના કોઈ સભ્યને ડાયાબિટીઝ છે તો તે ઘટાડવા માટે અને શુગર કંટ્રોલ ઘટાડવા માટે તુલસીના પાન ખાવાથી ઘણો લાભ થાય છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે તુલસીના પાનમાં એન્ટિ બાયોટિક ગુણો રહેલા છે.
ડાયાબિટીસના દર્દીઓમ માટેનો રામબાણ ઈલાજ
એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે તુલસીના પાન ડાયાબિટીઝના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. આ રિસર્ચ 45થી 55 વર્ષના 40 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં 20 પુરુષ અને 20 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બધા જ દર્દીઓને તુલસીના પાનમાંથી બનેલી ચૂર્ણ યુકત કેપ્સૂલ ખાવાની સલાહ આપવામાં આવી હતી. આ દરમ્યાન દર્દીઓ પર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખવામાં આવ્યો ન્હોતો. છેલ્લે તેનું પરિણામ ખૂબ જ સંતોષકારક આવ્યું હતું. તુલસીના પાનના સેવનથી આ દર્દીઓનું શુગર લેવલ ઓછું થયું હતું અને તેમાં કેલરી ઘણી ઓછી છે તે પણ જણાવ્યું હતું.
વજન ઘટાડવા માટે પણ તુલસી ફાયદાકારક
જો તમને કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીઝ હોય તો તુલસીના પાન ઘણો લાભ આપી શકે છે. આ માટે તુલસીના પાનને સૂકવીને તેને વાટી લો. હવે રોજ સવારે ખાલી પેટે પાણી કે દૂધમાં આ પાનનો ભૂકો મિક્સ કરી પીવાથી શુગર કંટ્રોલમાં રહે છે. આ કરતાં પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. સાથે જ જો તમારું વજન વધુ હોય તો રાતે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 8-10 તુલસી ના પાન પલાળી રાખો. બીજી સવારે ઉઠતાં સાથે આ પાણી પીવો. સાથે જ તેમાં રહેલા પાન ચવો નહીં, પણ તેને ગળી જાઓ. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ અને ફૂદીનાના પાન પણ નાખી શકો છો. તમે તુલસીના પાન વાળી ચા પણ પી શકો છો.