ડાયાબિટીસના દર્દીનો પ્રયત્ન હોય છે કે તે પોતાના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે અને સાથે જ એવી ડાયેટ ખાય જેમાં તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન પડે.
ડાયાબિટીસના દર્દી રાખો ધ્યાન
ડાયેટમાં રાજમાનો કરો ઉપયોગ
કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર લેવલ
જો તમને ડાયાબિટીસ છે તો તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે સારી ડાયોટ ફોલો કરો અને નિયમિતપણે કસરત કરો. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારી કેલરીની માત્રા પર ખાસ ધ્યાન આપો. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ સમયસર દવાઓ લેવી જરૂરી છે અને સમયાંતરે બ્લડ સુગર લેવલની તપાસ કરાવવી જરૂરી છે. યોગ્ય ડાયેટ લેવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે અને તેમાંથી એક છે રાજમા. ઘણા લોકોને રાજમા ભાત ખાવાનું પસંદ હોય છે પરંતુ એવી માન્યતા છે કે તેમાં વધુ ચરબી હોય છે.
રાજમા ખાવાના ફાયદા
તમને જણાવી દઈએ કે રાજમા ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે અને તેમાં ગ્લાયસેમિક પ્રમાણ પણ ઓછું હોય છે. જે લોહીના ગ્લુકોઝ લેવલને નિયંત્રિત કરે છે. રાજમા એક બર્નિંગ કાર્બોહાઇડ્રેટ છે. જે બ્લડ સુગર લેવલને વધતા અટકાવે છે. આ સિવાય રાજમા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને ઇન્સ્યુલિનમાં સુધારો થાય છે. તે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક છે.
રાજમાને તમારી ડાયેટમાં આ રીતે કરો સામેલ
ઘણી શાકભાજી બનાવીને ખાવાથી તમને એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે અને શરીર ડિટોક્સિફાય થાય છે. રાજમા કેન્સરને અટકાવે છે, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે, હાડકાંને મજબૂત બનાવે છે અને ત્વચા માટે સારું છે.
ઝડપથી વજન ઘટાડવા માટે, બ્રાઉન રાઇસ ખાઓ, જેમાં ખાંડ અને ચરબી ઓછી હોય છે.
યોગ્ય મીલ માટે તમારે દાળ અને ચોખા સમાન પ્રમાણમાં રાખવા જોઈએ. જેથી તમારા ખોરાકમાં જીઆઈ ઓછો હોય અને શરીરમાં સોજાનો અનુભવ ન થાય.