દરેક ઘરની રસોઈમાં કેટલાક મસાલા ખાસ જોવા મળે છે. પણ આપણે ભાગ્યે જાણીએ છીએ કે આ મસાલા ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તો જાણી લો નામ.
ડાયાબિટિસ પેશન્ટ ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ
રસોઈના આ 4 મસાલા કરશે તમારી મદદ
બ્લડ શુગર રહેશે હંમેશા કંટ્રોલમાં
રસોઈમાં અનેક એવી ચીજો હોય છે જેનું સેવન કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. આ ચીજો ન ફક્ત ખાવાનાનો સ્વાદ બમણો કરે છે પરંતુ તે હેલ્થ માટે પણ લાભદાયી હોય છે. આજે અમે રસોઈમા રહેલા કેટલાક મસાલાને વિશે જણાવીશું જેનું સેવન કરીને તમે ડાયાબિટિસને પણ કંટ્રોલમા કરી શકો છો. તો જાણો આ ખાસ 4 મસાલા વિશે અને તેના ઉપયોગની રીત વિશે પણ.
લવિંગ છે અસરકારક
ડાયાબિટિસના પેશન્ટને માટે લવિંગનું સેવન કરવાનુ ફાયદારૂપ છે. લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે. સાથે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. લવિંગમાં એન્ટી ઓક્સીડન્ટ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. મેટાબોલિક રેટ વધારે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ કરે છે.
લીલી એલચી પણ કરે છે ફાયદો
લીલી એલચીનું સેવન કરીને પણ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. તેમાં એન્ટી ઇન્ફ્લમેટ્રી અને હાઈપોલિપિડેમિક તત્વો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. આ માટે શુગર પેશન્ટે તેને ડાયટમાં સામેલ કરવું જોઈએ.
તેજપત્તા પણ શુગરને કરે છે કંટ્રોલ
જો પુલાવ બનાવ્યો હોય તો તેમાં તમાલપત્ર નાંખવાનું ભૂલશો નહીં. પુલાવનો સ્વાદ અધૂરો રહેશે. પુલાવનો સ્વાદ વઘારવાની સાથે તે બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તેનો ઉકાળો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. આ ડાયાબિટિસના નિયંત્રણમાં અસરકારક છે.
વરિયાળી કરે છે લાભ
ખાવાનું ડાઈજેસ્ટ કરવાના સિવાય વરિયાળી ડાયાબિટિસના રોગીને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. વરિયાળીને તમે ચામાં નાંખીને પી શકો છો. આ સિવાય ડાયાબિટિસ પેશન્ટ વરિયાળીનો ઉપયોગ પણ કરી શકે છે. તમે 250 મિલિ પાણી લો અને 2 મોટા ચમચા વરિયાળી નાંખો. એક વાસણમાં પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં વરિયાળી નાંખો. પછી થોડી મિનિટો ઉકાળીને ગેસ બંધ કરી લો. થોડી વાર સુધી આ પાણીને એમ જ રહેવા દો અને પછી ગાળીને ઉપયોગમાં લો.