ડાયાબિટીસના દર્દીના લોહીમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન ઘટવા માંડે છે, જેના કારણે બ્લડનું સુગર લેવલ વધી જાય છે. જેથી કહેવામાં આવે છે કે ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.
ડાયાબિટીસના દર્દીનું સુગર લેવલ ઘટાડવા કરો આ ઘરગથ્થુ ઉપાય
બ્લડનું સુગર લેવલ કંટ્રોલમાં આવશે અને બ્લડ પ્રેશરને પણ કરશે નિયંત્રિત
બ્લડ સુગર લેવલને કરી શકાય છે નિયંત્રિત
ડાયાબિટીસના દર્દીએ પોતાના બ્લડના સુગર લેવલની નિયમિત તપાસ કરાવતા રહેવુ જોઈએ. તો તબીબની સલાહ લીધા બાદ કેટલાંક ઘરગથ્થુ ઉપાય અપનાવીને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. જો તમે પણ ડાયાબિટીસની બિમારીથી પીડિત છો તો આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. આ ઘરગથ્થુ ઉપાય કારેલાનું જ્યુસ છે. જાણો કારેલાના જ્યુસનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીને શું ફાયદો થશે. આ સાથે કારેલાના જ્યુસનું ક્યારે સેવન કરવુ જોઈએ.
કારેલાનું જ્યુસ છે અસરકારક
ડાયાબિટીસના દર્દીએ પોતાના ડાયટમાં કારેલાનું જ્યુસ સામેલ કરવુ જોઈએ. કારેલામાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન એ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ, કારેલાના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધે છે. જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે.
આ રીતે કરો કારેલાના જ્યુસનું સેવન
ડાયાબિટીસના દર્દીએ દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ કારેલાના જ્યુસનું સેવન કરવુ જોઈએ. જેનાથી બ્લડનું સુગર લેવલ કંટ્રોલમાં આવશે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરશે. ડાયાબિટીસનો દર્દી સુગર લેવલને અંકુશમાં રાખવા માટે ઘણી ચીજ વસ્તુઓનું મિશ્રણ કરીને એક પાઉડર બનાવી શકે છે. આ પાઉડર સુગરને કંટ્રોલમાં રાખી શકે છે. આ પાઉડરમાં તમે મેથીના દાણા, જાંબુની ગુઠલી, લીમડાના પાન અને સુકા કારેલા લઈ શકો છો. આ બધાનું મિશ્રણ કરીને તેને વાટીને તેનો પાઉડર બનાવવાનો છે. આ પાઉડરની દરરોજ એક નાની ચમચી પાણીની સાથે દિવસમાં બે વખત લેવી. જેનાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળશે.