બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડાયાબિટીસના દર્દી જમ્યા પહેલા દવા લેવાનું ભૂલી જાય તો? ડોક્ટરે જણાવ્યું શું કરવું

હેલ્થ / ડાયાબિટીસના દર્દી જમ્યા પહેલા દવા લેવાનું ભૂલી જાય તો? ડોક્ટરે જણાવ્યું શું કરવું

Last Updated: 08:28 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ, આ એવી બીમારી છે જેને કંટ્રોલ કરવા માટે દર્દીને આજીવન દવાઓ લેવાની જરૂર પડે છે. આજના સમયમાં 20થી 30 વર્ષની ઉંમરના યુવાનો પણ ડાયાબિટીસના દર્દી હોય છે. ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જરૂરી છે.

ભારતમાં લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી હોય છે. અત્યારની જીવનશૈલીમાં બ્લડ સુગરની સમસ્યા વધી ગઈ છે. આવી કોઈ બીમારીને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. ડાયાબિટીસનો દર્દી ખાતા પહેલા એક ગોળી લે છે અને પછી ખાવાનું ખાય છે. કેમ કે આવું કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ઘણી વખત લોકો કામના ચક્કરમાં દવા લેવાનું ભૂલી જતા હોય છે અને ખાવાનું ખઈ લેતા હોય છે. આવા લોકો ખાધા પછી દવા લેવાનું ટાળતા હોય છે કેમ કે તેમને ડર હોય છે કે દવા લીધા પછી કંઈ થઈ જશે. ત્યારે આ વિશે અમે તમને અહીં જાણકારી આપીશું કે ખાધા પછી દવા લેવી જોઈએ કે નહીં.

ડૉક્ટરે જણાવ્યું દવા લેવાય કે નહીં?

ડાયાબિટીસની ઘણી દવાઓ છે. કેટલીક દવાઓ ખાવાના અડધા કલાક પહેલા અથવા લગભગ 60 મિનિટ પહેલા લેવાની હોય છે. અત્યારે મોટાભાગની દવાઓ એવી છે જેને ખાવાના 5-10 મિનિટ પહેલા અથવા બાદમાં લઈ શકાય છે. પરંતુ જો દર્દી પોતાની ડાયાબિટીસની દવા લેવાનું ભૂલી જાય તો તે જમ્યા પછી પણ લઈ શકે છે. તેનાથી કોઈ નુકસાન નથી થયું પરંતુ દવાની અસર ઓછી થશે.

વધુ વાંચોઃ- છાતીમાં થઈ રહી છે બળતરા? તો ડૉક્ટર પાસે દોડજો, કેન્સરનો હોઈ શકે ઈશારો

દવાઓ નુકસાન નથી કરતી

જો તમે સવારે દવા લેવાનું ભૂલી જાવ છો તો તમે તમારા ડૉક્ટરને પૂછી શકો છો કે આ દવા બપોરે લેવાય કે નહીં. સામાન્ય રીતે ડાયાબિટીસની તમામ દવાઓ સવારની જગ્યાએ બપોરે પણ લઈ શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

diabetes high blood sugar health news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ