તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ''આટલું ગળ્યું ના ખાઓ ડાયાબિટીસ થઇ જશે'' પરંતુ ખરેખરમાં આ સાચું છે? જી હા જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમને ડૉક્ટર્સ ગળ્યું ના ખાવાની સલાહ આપે છે. પરંતુ જે લોકોને આ બિમારી નથી તે લોકોએ પણ ગળ્યાંથી દૂર રહેવું જોઇએ?
ડાયાબિટીસ 2 પ્રકારના હોય છે. ટાઇપ A અને ટાઇપ B. જ્યારે શરીરની ઇમ્યુન સિસ્ટમ પ્રેરિત કરતી ઇન્સ્યુલિન કોશિકાઓને નષ્ટ કરી દે છે તેણે ટાઇપ A ડાયાબિટીસ કહેવામાં આવે છે.
ત્યારે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થવામાં અક્ષમ થઇ જાય તો તેણે ટાઇપ B ડાયાબીટિસની શ્રેણીમાં રાખવામાં આવે છે પરંતુ તમને જણાની આશ્ચર્ય થશે કે ડાયાબિટીસના સંબંધ ગળ્યાં ખાવાની સાથે નથી.
જોકે ટાઇપ B ડાયાબિટીસ મોટાપાના કારણે થઇ શકે છે. શરીરમાં ધ્યાન ના આપવાને કારણે અને જંક ફૂડ ખાવાથી આ ડાયાબિટીસ થઇ શકે છે. આ ડાયાબિટીસનો સંબંઘ પરોક્ષ રીતે શુગરની સાથે છે.
વાસ્તવમાં વધારે શુગરના સેવનથી મોટાપાનો શિકાર થાય છ અને જેના કારણે લોકોને ગળ્યું ના ખાવાની સલાહ આપવામાં આવે છે.
ઘણા લોકોને ભમ્ર હોય છે કે જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓ ગળ્યું ખાઇ જ નહી શકે પરંતુ એવું નથી જે લોકોને ડાયાબિટીસની બિમારીની શરૂઆતી છે તો બેલેન્સ્ડ્ ડાયટમાં શુગર હોવી જરૂરી છે જેનાથી શુગરની બિમારી સામે લડવામાં મદદ મળે છે. જોકે લોકોને કોઇ પણ પ્રકારના પ્રયોગ પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જો તમે પ્રતિદિવસ 6 ચમચી શુગરનું સેવન કરો છો તો તમારે ડરવાની જરૂર નથી. WHOને અનુસાર શુગરની આટલી માત્રાથી શરીરને કોઇ નુકસાન થતું નથી.