ડાયાબિટીસની સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે શરીરમાં ગ્લૂકોઝનુ લેવલ ખૂબ વધી જાય છે. જેને બેલેન્સ કરવા માટે ઈન્સુલિન ખૂબ મદદ કરે છે. ઈન્સુલિન પેનક્રિયાજથી નિકળતુ એક હોર્મોન છે, જે લોહીમાં ગ્લુકોઝ લેવલને મેનેજ અને કંટ્રોલ કરવાનુ કામ કરે છે.
હાલમાં કરાયેલા રિસર્ચમાં વાત સામે આવી
જમ્યા બાદ બસ 5 મિનિટ કરો આ કામ
ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં
બ્લડ શુગરને ઘટાડવા કરો આ કામ
હાલમાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે જમ્યા બાદ હળવી વૉક કરવાથી બ્લડ શુગર લેવલને ઘટાડી શકાય છે. આવો જાણીએ આ રિસર્ચ અંગે વિસ્તૃતપૂર્વક. સ્પોર્ટ્સ મેડિસિન નામના જર્નલમાં છપાયેલા આ રિસર્ચમાં સંશોધકોએ સાત અલગ-અલગ અભ્યાસનુ વિશ્લેષણ કર્યુ કે લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે, ઉભા થવુ અને ચાલવા જેવી હળવી શારીરીક કસરત કેવીરીતે ઈન્સુલિન અને બ્લડ શુગર લેવલ સહિત હાર્ટ હેલ્થને પ્રભાવિત કરે છે.
સંશોધકોનો દાવો
આ અભ્યાસના ઑથર એડન બુફેએ હેલ્થ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું, હળવી કસરત તમારી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
કેવીરીતે હળવી કસરતથી ઘટે છે બ્લડ શુગર લેવલ?
જ્યારે પણ તમે કોઈ આહાર ખાઓ છો, ખાસ કરીને હાઈ કાર્બોહાઈડ્રેટ યુક્ત આહાર ખાવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનક વધવા લાગે છે. જેને પોસ્ટપ્રાંડિયલ સ્પાઈકના રૂપમાં ઓળખવામાં આવે છે. શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનક વધવાથી ઈન્સુલિન નામનુ હોર્મોન રિલીઝ થાય છે, જે ગ્લુકોઝને લોહી દ્વારા કોશિકાઓમાં મોકલે છે. કારણકે તેનો ઉપયોગ એનર્જી માટે કરી શકાય. પરંતુ બ્લડ શુગર લેવલ અને ઈન્સુલિનની વચ્ચે આ બેલેન્સ ખૂબ નાજુક હોય છે અને કંટ્રોલ બહાર પણ થઇ શકે છે. સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ જો શરીરમાં બ્લડ શુગર લેવલમાં સતત વધારો થાય છે તો કોશિકાઓ ઈન્સુલિનને જવાબ આપવાનુ બંધ કરી શકે છે. અને ઈન્સુલિન પ્રતિરોધી બની શકે છે. જે પ્રી ડાયાબિટીક અથવા ટાઈપ 2 ડાયાબિટીસનુ કારણ બની શકે છે.
એવામાં આ નવા અભ્યાસના ઑથરનુ કહેવુ છે કે જો જમ્યા બાદ તમે થોડી વાર હળવી વૉક કરો છો તો તેનાથી બ્લડ શુગરનુ લેવલ ઘટી જાય છે, જેનાથી ડાયાબિટીસ અને હાર્ટ બિમારીનુ જોખમ ઘટાડી શકાય છે.