બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા હાલ તેના પતિ સાથે હનિમૂન એન્જોય કરી રહી છે. જોકે, અત્યારે એક્ટ્રેસ તેની એક ટ્વિટને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઈવેટ પાર્ટને લઈને ટ્વિટ કર્યું છે.
એક્ટ્રેસ દિયા મિર્ઝા એક ટ્વિટને કારણે છે ચર્ચામાં
દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઈવેટ પાર્ટને લઈને ટ્વિટ કર્યું છે
દિયાની આ ટ્વિટ થઈ રહી છે ખૂબ જ વાયરલ
દિયા મિર્ઝા છેલ્લા ઘણાં દિવસોથી તેના લગ્નને લઇને ચર્ચામાં હતી. લગ્નના એક મહિના બાદ તે પતિ વૈભવ સાથે માલદિવમાં હનિમૂન એન્જોય કરી રહી છે. તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જોકે તેની સાથે દિયા આજકાલ પ્રદૂષણથી થતાં નુકસાન અંગે પણ લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં જ તેણે આ માટે ટ્વિટ પણ કરી હતી અને લખ્યું કે, પ્રદૂષણના કારણે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પર ખૂબ જ ખરાબ અસર થાય છે.
દિયાએ હાલ ટ્વિટ કરતાં એક રિસર્ચ રિપોર્ટને ટેગ કરીને લખ્યું કે, પર્યાવરણમાં રેહલાં ઝેરી રસાયણથી શુક્રાણુઓની સંખ્યા અને ટેસ્ટિકલ્સ પર અસર પડે છે. જેના કારણે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પર અસર થાય છે. દિયાએ આગળ લખ્યું કે, આ જાણકારી બાદ હવે કદાચ લોકો પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થશે. દિયાની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
એક મહિના પહેલા દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યાં
તમને જણાવી દઈએ કે, દિયા હમેશાં તેની ટ્વિટ દ્વારા લોકોને પ્રકૃતિના મહત્વને સમજાવતી રહે છે. આ પહેલાં વર્ષની શરૂઆતમાં જ દિયાએ કહ્યું હતું કે, કોવિડ-19 મહામારી બધાં જ માટે એક વેકઅપ કોલ છે, હવે આપણે સૌએ પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવું પડશે. દિયા મિર્ઝાએ ટ્વિટ કરીને લખ્યું કે, પર્યાવરણ પ્રત્યે સજાગ રહેવા અને તેનું જતન કરવાનો સમય આવી ગયો છે. દિયા મિર્ઝાએ બિઝનેસ મેન વૈભવી રેખી સાથે એક મહિના પહેલાં લગ્ન કર્યાં છે. હાલ તે પતિ સાથે માલદિવ પહોંચી છે અને હનિમૂન એન્જોય કરી રહી છે.