રાજકોટ, સુરત અને મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી યુવાનોના મોત નિપજ્યા છે. જે પરિવારમાં આજે તહેવારનો આનંદ-ઉત્સાહ હતો ત્યાં માતમ છવાયો છે.
રાજકોટના ત્રંબાની આજી નદીમાં ડૂબી જતાં બે યુવકોના મૃત્યુ
સુરતના ચલથાણના તળાવમાં ડૂબી જવાથી બે લોકોના મોત
મહીસાગર નદીમાં ત્રણ યુવકોમાંથી 2 યુવકોના ડૂબી જતાં મૃત્યુ
રાજ્યમાં એક તરફ કોરોનાકાળના કારણે તંત્ર દ્વારા ધૂળેટીની ઉજવણીને લઈ રોક લગાવવામાં આવી હતી. ત્યારે તંત્રની અપીલને પણ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લોકો નદીકિનારાના સ્થળ પર દર્શન અને ફરવા માટે પહોંચ્યા હતા. અને આ સ્થળ પર નદીમાં ન્હાવા પડેલા યુવકોમાંથી કેટલાક ડૂબી જવાની ઘટનાઓ સામે આવી છે. રાજકોટ, સુરત, વડોદરા અને મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી યુવાનોના મોત નિપજ્યા છે. જે પરિવારમાં આજે તહેવારનો આનંદ-ઉત્સાહ હતો ત્યાં માતમ છવાયો છે.
મહીસાગર નદીના પાણીના પ્રવાહમાં 3 યુવકો તણાય ગયા છે. 2 યુવકોના ડુબી જવાથી મૃત્યુ થયું છે. એક યુવકને બહાર કાઢી સારવાર માટે ખસેડાવામાં આવ્યો છે. લુણાવાડાના હાડોજ ગામ નજીક નદીમાં આ ઘટના બની હતી. મૃતક યુવકો બાલાસિનોરના જોરાપુરાના હોવાની માહિતી મળી છે.
રાજકોટમાં ત્રંબાની આજી નદીમાં બે યુવકોનું ડૂબી જવાથી
રાજકોટમાં ધુળેટીનો તહેવાર માતમમાં છવાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ત્રંબાની આજી નદીમાં બે યુવકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ધુળેટી રમ્યા બાદ 7 યુવકો નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે બે યુવકો ડૂબી ગયા હતા. જો કે ગામ લોકોએ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા.
સુરતના ચલથાણના તળાવમાં ડૂબી જવાથી મોત
સુરતના ચલથાણના તળાવમાં ડૂબી જતાં 2 યુવકનું મૃત્યુ થયા છે. ધૂળેટીને લઇ 5 યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતાં. જયારે 5માંથી 3 યુવકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ યુવકો સ્થાનિકો હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં પણ એક યુવકનું ડૂબી જવાથી મોત
વડોદરામાં પણ વિશ્વામિત્રી નદીમાં યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડે 5 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ રાવપુરા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પીએમ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.