આજે દેશભરમાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં પણ તમામ જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી થઈ છે હર્ષોલ્લાસના માહોલમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે જિલ્લાના તમામ ભાગો માંથી મળી દેશભરના મોટાભાગના હોલિકાનું દહન કરવામાં આવ્યું ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પોતાની આગવી સંસ્કૃતિથી આ તહેવારને ઉજવતા જોવા મળ્યા જેમાં અંગારા પર લોકો ચાલે છે
હોલિકા દહન બાદ સળગેલા તુંબાંના કાજળથી સૌ તિલક કરે
આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ અહીં આ રીતે જ ઉજવાય છે હોળી
ફાગણ વદ (રંગ) પંચમી સુધી મનાવવામાં આવે છે
હોળીએ આદિવાસીઓનો સૌથી મોટો મહાત્મ્ય ધરાવતો તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણી માટેની તૈયારી શરૂ થઈ જાય છે. પેટિયું રડવા બહારગામ જતા આદિવાસીઓ આ સમયે અચૂક વતન આવી પહોંચે છે. દૂર નોકરી કરતા લોકો પણ આ દિવસે જરૂરથી વતને આવતા હોય છે. ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ હોળીના તહેવાર દરમ્યાન ગીતો ગાઇ ઢોલ, તારપું , પાવી, કાંહળી, ઢોલક-મંજીરાં વગેરે વાદ્યોની મસ્તીમાં ઝુમી ઊઠે ત્યારે તો એવું વાતાવરણ સર્જાઈ ઊઠે કે જાણે એમનાં નૃત્યને નિહાળવા દેવતાઓ પણ ઉતરી આવતા ન હોય.
ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડે-ગામડે હોળી પ્રગટાવાય છે હોળીબાઈના ગીતો ગવાય છે. સામાન્ય રીતે આદિવાસીઓ આમલી અગિયારસથી હોળીના તહેવારની ઉજવણી શરૂ કરે છે આ દિવસે ઠેર ઠેર મેળાઓ અને હાટો ભરાય છે દેશી ઢોલ દેશી તાલ અને આદિવાસી નૃત્ય કીકીયારીઓથી આદિવાસી ગામડાઓ ગુંજી ઉઠે છે અને આ બીજા 17 દિવસ ચાલે છે
સાંજના સમયે ઘરે બનાવેલ મીઠાઈ ભગવાન જમીને હોળી પ્રગટાવવાની જગ્યાએ જાય છે
હોળીના દિવસની વાત કરીએ તો સવારથી આદિવાસી ગામોના યુવાનોથી માંડીને તમામ વયના લોકો સામુહિક રીતે જંગલોમાં જાય છે અને ત્યાંથી જલાઉ લાકડાઓ કાપે છે. જેને અહીં મામેરા કહેવામાં આવે છે અને આદિવાસી ગીતો ગાતા ગાતા હોળી પ્રગટાવવાની જગ્યાએ લઈને આવે છે. સાંજના સમયે ઘરે બનાવેલ મીઠાઈ ભગવાન જમીને હોળી પ્રગટાવવાની જગ્યાએ જાય છે.
હોળી પ્રગટાવવાની જગ્યાએ નીચે જમીનમાં દબાવવામાં આવે
મોડી રાત સુધી દેશી ઢોલ આદિવાસી કાલે આદિવાસી ગીતો સાથે દાંડિયા તથા આદિવાસી નાચગાન કરવામાં આવે છે. હોળીને ઉભી કરતા પહેલા એક ઘડામાં પાણી ભરવામાં આવે છે અને તેની ઉપર દોરા ની નિશાની કરી ચાર લાડુ નું કામ આવે છે. આચાર લાડુ એટલે સાંકેતિક રીતે ચોમાસાના ચાર મહિના તેના આધારે વરસાદ નક્કી કરવામાં આવે છે. તને હોળી પ્રગટાવવાની જગ્યાએ નીચે જમીનમાં દબાવવામાં આવે છે.
હોલિકા દહન બાદ સળગેલા તુંબાંના કાજળથી સૌ તિલક કરે
હોળી સંપૂર્ણ ઊભી થયા પછી ગામના અલગ અલગ ફળિયાના પાંચ વ્યક્તિઓ હોળીની ફરતે પાંચ વખત પરિભ્રમણ કરી હોળી પ્રગટાવે છે. નારિયેળનું નૈવેદ્ધ ધરાવવામાં આવે છે. પ્રગટેલ હોળી માતાને ફરતે નાચતાં-ગાતાં પાંચ ફેરા ફરવામાં આવે છે. જેમણે માનતા-બાધા માની હોય કે તને ચઢાવવા વગર અમે મરવાં (કાચી નાની કેરી), કરમદાં વગેરે ખાઈશું નહીં, તે બધા આ વસ્તુઓ હોળી માતાને અર્પિત કરી, પગે લાગી પ્રણામ કરે. હોળીના તહેવાર માટે મુખ્ય લાકડું ખજૂરીનું તુંબું હોય છે. હોલિકા દહન બાદ સળગેલા તુંબાંના કાજળથી સૌ તિલક કરે.
શ્રીફળને હોળીમાં હોમી દે છે ત્યારબાદ બાળકોથી માંડીને યુવાનો વૃધ્ધો આ સળગતા હોળીના અંગારા થઈને નીકળે છે
હોળીના દર્શન પૂજા કરવામાં આવે છે હોળી સંપૂર્ણ રીતે સળગી ગયા બાદ કોઈ એક દિશામાં વળે છે અથવા તો પડે છે અને એ જે દિશામાં પડે એના પરથી આવનાર વર્ષ માટે આ ગામના સારા-નરસાનો નક્કી થાય છે હોળીને પ્રગટાવ્યા બાદ જો હોળી પૂર્વ દિશા તરફ ઝૂકી પડે તો તેને શુભ માનવામાં આવે. એવી માન્યાતા છે કે જો હોળી પૂર્વમાં પડે તો તે વરસ સારું જાય, એ વરસે વરસાદ સારો થાય, પાકમાં રોગ ન આવે. સમગ્ર ગામના વ્યક્તિઓ હાથમાં શ્રીફળ અને પાણી સાથે લઈ પાંચ વાર હોળીની પ્રદક્ષિણા કરે છે. અને શ્રીફળને હોળીમાં હોમી દે છે ત્યારબાદ બાળકોથી માંડીને યુવાનો વૃધ્ધો આ સળગતા હોળીના અંગારા થઈને નીકળે છે.
વિશ્વાસ અને હિંમતથી આ લોકો જીવતા અંગારાઓ ઉપર વગર ચપ્પલે ખુલ્લા પગે ચાલે જાય છે
આદિવાસીઓમાં શ્રદ્ધાને આસ્થાનું એક કહી શકાય કે મોટો જીવતો જાગતો દાખલો છે જેના લીધે હોળી એ આદિવાસીઓનો મોટો તહેવાર કહેવામાં આવે છે ગામના લગભગ યુવાનો હોય કે વૃદ્ધો આ સળગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલીને આ બાજુથી પેલી બાજુ નીકળે છે અને આવું કરવાથી તેમને ગર્વ અનુભવાય છે આવા દ્રશ્યો જોઈને એકવાર દેખના પણ હૃદય કંપી જાય આંખો બંધ કરી દેવાનું મન થાય ત્યારે તમે વિચારી શકો છો કેટલો વિશ્વાસ અને હિંમતથી આ લોકો જીવતા અંગારાઓ ઉપર વગર ચપ્પલે ખુલ્લા પગે ચાલે જાય છે આવા દ્રશ્યો અહીંના દરેક ગામમાં જોવા મળે છે.
આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ અહીં આ રીતે જ ઉજવાય છે હોળી
હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. નવાઇની વાત એ છે કે ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઇ તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ અહીં આ રીતે જ ઉજવાય છે હોળી
પાણી પીધા પછી સંપૂર્ણ ઠંડી થઈ જાય ત્યાર પછી હોળીના નીચે દબાઈ લાડવો બહાર કાઢવામાં આવે છે
વર્ષે યુવાનો અને યુવતીઓને લગ્ન થયા હોય તેઓ વર-વધૂની જેમ તૈયાર થઈને આવે છે અને એ પણ એક સાથે હોલિકાના દર્શન પૂજા કરી પાંચ વખત પરિભ્રમણ કરે છે ત્યાર બાદ કામ તમામ ગામના લોકો પોતાને ઘરે ચાલે છે સવારે આઠ વાગ્યાના અરસામાં ફરીથી બધા એકઠા થાય છે જેમાં ખાસ કરીને મહિલાઓ પાણીના વાસણમાં પાણી ભરીને લાવે છે અને હોળીને જવા માટે આવે છે જેને અહીં હોળી કાઢવાનું કહેવામાં આવે છે ઘણું બધું પાણી પીધા પછી સંપૂર્ણ ઠંડી થઈ જાય ત્યાર પછી હોળીના નીચે દબાઈ લાડવો બહાર કાઢવામાં આવે છે.
હોળી પાંચમ બાદ જ લોકો પોતાના કામ-ધંધે જાય
ગળાના પાણીથી આખા ગામના લોકો આખો જોવે છે જેનાથી કોઈ પણ પ્રકારનો રોગ નથી થતો અને ખાસ કરીને વાવર નો તાવ જતો રહે છે એવી માન્યતા અહીં જોવા મળે છે અને ત્યાંથી દૂર થી રમવાની શરૂઆત થાય છે અહીં આવે લોકો એકબીજા ઉપર પાણી દૂર રંગ વગેરે એકબીજા પર નાખી અને ધુળેટી રમે છે ત્યારબાદ આખા ગામમાં કેયા બનીને ઘરે ઘરે ફરી ધુળેટી રમવામાં આવે છે ફાગણ વદ (રંગ) પંચમી સુધી મનાવવામાં આવે છે. હોળીના બીજા દિવસે તો રસ્તા સુના હોય કારણ કે રસ્તા પર દરેક જગ્યાએ નાનાં બાળકોથી લઈ વૃદ્ધો સુધીની ઉંમરના લોકો ફગવો માંગવા ઊભા હોય. જે ફગવો આપે તેને રંગ્યા વગર જવા દે અને જે ન આપે તેના પર રંગોનો વરસાદ વરસાવવામાં આવે. હોળી પાંચમ બાદ જ લોકો પોતાના કામ-ધંધે જાય. અને આ તિથિ બાદ આદિવાસીઓની લગ્નની મોસમ શરૂ થાય.