ખુબ ઓછા સમયમાં જ સોશિયલ મીડિયાએ રાજકારણ, કાર્યસ્થળ, ગૃહસ્થ જીવન અને અન્યત્ર એક મહત્વપુર્ણ સ્થાન મેળવી લીધું છે. માર્કેટીંગના ક્ષેત્રમાં સૌથી એફોર્ડેબલ અને ઈફેક્ટીવ રસ્તો સોશિયલ મીડિયા તરફ લઈ જાય છે. આજે દરેક વ્યક્તિ કે સંસ્થાને સોશિયલ મિડિયા પર એક અસરકારક છાપ છોડીને સફળ થવુ હોય છે. આ ઈચ્છાને સફળ બનાવવા અને કોઇની મહેનત વ્યર્થ ન જાય તે માટે આપણા ગુજરાતના સોશિયલ મિડિયા વિશેષજ્ઞ ધ્રુમિલ સોની ખુબ જ પ્રયત્નો કરી રહ્યો છે.
ધ્રુમિલ સોની સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્તમ કલાકારો અને પ્રતિભાશાળી વ્યક્તિઓને આગળ વધવામાં મદદ કરવા માંગે છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેનાથી જોડાયેલ કલાકારો અને અન્ય લોકો માટે કઈક પ્રભાવશાળી અને મદદ રૂપ બને તેવા પ્રયત્નો કરવાની ઝંખના સતત તેના મનમાં રહે છે.
જ્યારે તમે સોશિયલ મીડિયાને ધ્રુમિલની નજરથી જુઓ તો અન્વેષણની રાહ જોતી એક વિશાળ સંભવિત તક જોવા મળે છે. કલાના ક્ષેત્રને જ્યારે અનસ્ટેબલ ઇન્કમ સોર્સ તરીકે જોવાઈ છે. આવી સ્થીતિમાં ધ્રુમિલ કલાકારોને એક અનન્ય અને મજબુત ઓળખ ઉભી કરવા શક્ય તે મદદ કરે છે. ખાસ કરીને ઢોલીવુડને પ્રોત્સાહન આપી આગળ લાવી શકાય તે માટે તમામ પ્રયત્નો કરે છે. ધ્રુમિલ ગુજરાતી સેલેબ્રીટીઝને પ્રમોટ કરવા માટે અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉભા કરી રહ્યા છે.
તેમાના એક પ્લેટ્ફોર્મ – વેબસાઈટ દ્વારા તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અધ્યતન માહિતી તેમજ કલાકારો વિશે ચાહકોને વધુ અવગત કરાવે છે. ધ્રુમિલ ટૂંક સમયમાં ગુજરાતી મનોરંજન માટે એક એપ ડેવલપ કરવા જઈ રહ્યા છે. આ એપ વિશિષ્ટ રૂપે ઢોલીવુડ અને ગુજરાતી મનોરંજન ઉદ્યોગને સમર્પિત હશે.
ધ્રુમિલએ ઘણા ખ્યાતનામ કલાકારો અને ઉદ્યોગોની સફળતાને વેગ આપવા પોતાનુ યોગદાન આપેલ છે. તેઓએ આપણા રાજય ના ઘણા બધા ઈનફ્લુએન્સર્સ અને રાજકારણીઓ સાથે કામ કરી ચુક્યા છે. સરકારની સારી નિતિઓ અને અનિવાર્ય માહિતિ લોકો સુધી પહોંચે તે માટે પણ ધ્રુમિલએ અનેક પ્રયાસો કરેલ છે. આ ઉપરાંત ધ્રુમિલ સોનીની એજન્સી પિક્ષાટ્રોનિક્સ ‘પંચમહોત્સવ’ના સોશીયલ મિડિયા માર્કેટીંગ માટે ખુબ જાણીતી છે. ધ્રુમીલે નાની વયમાં દરેક ક્ષેત્રે ઉત્તિર્ણ કાર્યો કરી એક અસરકારક છબી ઉભી કરેલ છે.
આપણા ગુજરાતી ઇન્ડસટ્રી માટે યોગદાન આપવાની ધગશ, સતત મહેનત અને યથાર્થ ઉદ્દેશના કારણે ધ્રુમિલની લોકો ખુબ પ્રશંસા કરે છે. તેના કામના લિધે ધ્રુમિલએ લોકોમાં તેના પ્રત્યે એક અતુટ વિશ્વાસ કેળવ્યો છે. તે પોતાની સર્જનાત્મકતાને જીવંત રાખવામાં માને છે. તે હેતુથી જ ધ્રુમિલ સતત કઈક નવુ અને કઈક મદદરૂપ કર્યા કરે છે.