કોંગી MLA લલિત વસોયાને તંત્રએ કોરોન્ટાઈન કરતાં તેઓ ભડક્યાં હતા અને કલેક્ટરને કહ્યું, મંત્રીઓને પણ કોરોન્ટાઈન કરો. કોરોનાની ગંભીરતા ખુદ તંત્રમાંજ નથી ત્યાં સામાન્ય માણસની શું વિસાત? અમદાવાદ મનપા કલેક્ટર ખુદ સીએમ રૂપાણી સહિતના લોકો કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવાતની સાથે જ ક્વોરન્ટાઈન થઈ ચુક્યા છે ત્યારે આ ધારાસભ્યની આવી માંગળી કેટલી હદે યોગ્ય છે એ તો એ જ જાણે એવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
ગુજરાતમાં કોરના સંકટમાં પણ રાજકારણીઓ રાજકારણ કરવાનું નથી ભૂલતા. ભાજપ હોય કે કોંગ્રેસ બંને પોતપોતાનો એક્કો સાચો કરવા માટે મથતા હોય છે ત્યારે હવે રાજકોટમાં ધારાસભ્ય લલિત વસોયાએ કલેક્ટરને પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે મને હોમ ક્વોરન્ટાઈન કરાયો છે તો બીજા મંત્રીઓ અને નેતાઓને કેમ નહીં?
શું આક્ષેપ છે ધારાસભ્ય લલિત વસોયાના?
ધારાસભ્ય લલિત વસોયાનો કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજકીય ઈશારે મને હોમક્વોરન્ટાઈ કરાયો છે. હુ સુરતથી પાછો ફરતા મને ક્વોરન્ટાઈન કરાયો છે. મને શંકાસ્પદ ગણી હોમ ક્વોરન્ટાઈન કરાયો. મારા આરોગ્યની તપાસમાં કોઈ તકલીફ પણ નથી. મંત્રીઓ, સાંસદો બીજા જિલ્લામાં જાય તેમને કેમ ક્વોરન્ટાઈન નથી કરાતા? મને જરૂરિયાતમંદ લોકોની સેવા કરતો રોકવા પગલુ લેવાયુ. તાત્કાલિક મારુ હોમ ક્વોરન્ટાઇન દુર કરી મુક્ત કરો.