ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. મગફળી ખરીદવા માટે મુદત વધારવાની માગ કરી છે. આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો છેલ્લો દિવસ હતો. સરકાર આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરશે. હજુ પણ ઘણા ખેડૂતોને ખરીદી અંગેના મેસેજ મળ્યાં નથી. તેમજ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નોંધણી કરાવી હતી. લલિત વસોયાને પણ મેસેજ મળ્યો ન હોવાનો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે.
મગફળી ખરીદવા માટે મુદત વધારવાની માગ
મગફળી ખરીદીનો છેલ્લો દિવસ હતો
લલિત વસોયાને મેસેજ ન મળ્યાનો દાવો
ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને લાભ પાંચમ પર માવઠુ થતા તેના 15 દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી. ત્યારે રોજ ખેડૂતોને મેસેજ કરી કેન્દ્ર ખાતે મગફળી લઈ આવવા અંગે જાણ કરવામાં આવતી હતી. 1 ફેબ્રુઆરી 2020થી મગફળી ખરીદી શરૂ થઈ હતી. ત્યારે હવે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર બંધ કરશે. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કેટલાક સવાલ ઉઠાવ્યા છે.
લલિત વસોયાએ કહ્યું કે, મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ટેકાના ભાવે મગફળીને લઇને પત્ર લખ્યો છે. 15 દિવસ મગફળી ખરીદીમાં વધારાના આપવામાં આવે. મગફળીની ખરીદીમાં 15 દિવસ બાદ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ઘણા બધા ખેડૂતો તંત્રની બેદરકારીના કારણે ખરીદીની પ્રક્રિયામાં બાદ કરી દેવામાં આવ્યા છે. ધોરાજીમાં 7 હજાર 90 ખેડૂતોએ ઓનલાઇન એપ્લિકેશન કરી છે. જેમાં 4997 ખેડૂતોની મગફળી આજ દિવસ સુધીમાં ખરીદવામાં આવી છે. ઘણા બધા ખેડૂતો આ પ્રક્રિયામાં બાકી રહી ગયા છે. આજની તારીખ સુધી મને પણ મેસેજ આવેલો નથી. ઓનલાઇન પ્રક્રિયા કરી હોવા છતા મેસેજ ન આવતો હોવાથી સરકારે મગફળીની ખરીદી માટે 15 દિવસનો સમય વધારવો જોઇએ.
મહત્વનું છે કે, ટેકાના ભાવે મગફળી વેચવામાં જટિલતા તેમજ પેમેન્ટ મોડુ મળવાના પ્રશ્નો અને બજારમાં મગફળીના ભાવ મળે છે. આ બાબતોના કારણે ખેડૂતો સરકારને મગફળી વેચવામાં નિરસતા દાખવી રહ્યા છે.