T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે અને તેમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ પાકિસ્તાન છે. આવી પરિસ્થતિમાં રોહિત શર્મા ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની કોશિશ કરશે
T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે
ટીમ ઈન્ડિયા એ ચેમ્પિયન બનવા માટે અપનાવી પડશે 5-2-4ની યુક્તિ
2007ના વર્લ્ડ કપમાં ધોનીએ અપનાવી હતી 5-2-4ની યુક્તિ
ટીમ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારી તેના અંતિમ તબક્કામાં છે પણ આ દરમિયાન ટીમ ઈન્ડિયા તેના ખેલાડીઓ થયેલ ઈજાથી પરેશાન છે. પહેલા રવિન્દ્ર જાડેજા ગોઠણની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો અને આ પછી ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. આ કારણે તેઓ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટી-20 મેચની સીરિઝમાંથી પણ બહાર થયા હતા. અને હવે તેનું T20 વર્લ્ડ કપમાં તેનું રમવાનું પણ નક્કી નથી. અઅ વાતને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ICCની આ મોટી ટૂર્નામેન્ટ T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની સામે ઘણા પડકારો વધી ગયા છે.
મહેન્દ્ર સિંહ ધોનીની યુક્તિ અપનાવી પડશે
જો કે આ બધા છતાં ટીમ ઈન્ડિયા હાલ પણ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદારમાંથી એક છે. દરેક ટીમમાંથી ભારતને T20 ફોર્મેટની સૌથી મજબૂત ટીમ માનવામાં આવે છે. ખેલાડીઓ ઘાયલ છે એમ છતાં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની શકે છે. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે એક આ યુક્તિ અપનાવી પડશે જે વર્ષ 2007માં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અપનાવી હતી.
ચેમ્પિયન બનવા માટે 5-2-4ની યુક્તિ
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ઘણા ખેલાડીઓને ટીમમાં મોકો આપવામાં આવ્યો હતો અને આ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં યોજનાર T20 વર્લ્ડ કપ આ મહિનાથી 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ પાકિસ્તાન સાથે 23 ઓક્ટોબરના રોજ રમાશે અને ટીમ ઈન્ડિયાને પહેલી જ મેચમાં જોરદાર ટક્કર મળવાની છે. આવી પરિસ્થતિમાં રોહિત શર્મા ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની કોશિશ કરશે અને તેમાં 5-2-4ની યુક્તિ પણ જોવા મળી શકે છે.
કેવી રીતે કેપ્ટન બનાવશે રણનીતિ
5-2-4 ના આ ફોર્મ્યુલા અનુસાર ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પાંચ બેટ્સમેન, બે ઓલરાઉન્ડર અને ચાર બોલરોનું સંયોજન મળે છે. અને આ સંયોજનમાં મુજબ જ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત/દિનેશ કાર્તિક ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બેટ્સમેન તરીકે રમશે એ નક્કી છે. આ સાથે જ ઓલરાઉન્ડરમાં ટીમ ઈન્ડિયા હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પર વિશ્વાસ કરી શકે છે અને બોલિંગ ઓપ્શન તરીકે ટીમ ઈન્ડિયા પાસે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલનું સંયોજન બની શકે છે.
Fixtures of T20 World Cup 2022 have been announced. India placed alongside Pakistan, South Africa, Bangladesh & two qualifiers in Group 2 of Super 12 stage. India will square off against Pakistan in their first match of the tournament on October 23 at the MCG pic.twitter.com/M4QMuMaDOq
2007ના વર્લ્ડ કપમાં ધોનીએ અપનાવી હતી 5-2-4ની યુક્તિ
વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા પહેલી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી અને એ સમયે ધોનીએ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની નવી ટીમ સાથે આ શાનદાર સંયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન 5-2-4ની યુક્તિ લગાવીને આ ખિતાબ જીતી હતી.