પાકિસ્તાન સુપર લીગમાં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમની આલોચના થઇ રહી છે. આવામાં પાકિસ્તાનના પૂર્વ કપ્તાને બાબરના સમર્થનમાં ધોની વિરુદ્ધ અમુક ટિપ્પણી આપી
બાબરની કપ્તાનીમાં પાકિસ્તાનની હાલત ખરાબ
બધા જ 8 મુકાબલાઓમાં મળી હાર
આ પ્રદર્શન બાદ થઇ આલોચના
પાકિસ્તાન સુપર લીગમાં ખરાબ પ્રદર્શન બાદ બાબર આજમની કપ્તાનીને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. ભારત વિરુદ્ધ વિશ્વ કપમાં જીત અપાવવાવાળા બાબર PSLમાં પોતાની ટીમને અત્યાર સુધી એક પણ મુકાબલો નથી જીતાવી શક્યા.
પાકિસ્તાન સુપર લીગ 2022ની મોજુદા સિઝનમાં પાકિસ્તાની કપ્તાન બાબર આઝમની ટીમ કરાચી કિંગ્સના ખરાબ હાલ છે. આ દિવસો, લીગ તથા પાકિસ્તાન ક્રિકેટમાં સૌથી વધારે ચર્ચાનો વિષય કરાચી કિંગ્સનું બાબર આઝમની કપ્તાનીમાં અત્યાર સુધી એક પણ મુકાબલો ન જીતી શકવું છે. કરાચીએ પોતાના બધા જ 8 મુકાબલાઓ હાર્યા છે. પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમની ટીમ કરાચીના આ પ્રદર્શન બાદ પૂર્વ કપ્તાન સલમાન બટે બાબર આઝમના સમર્થનમાં બયાન આપ્યું છે.
કરાચીને પહેલી જીતની રાહ
બાબર આઝમન ખૂબ જ આલોચના થઇ રહી છે. બાબરની કપ્તાની પર સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. સલમાન બટે બાબર આઝમનું સમર્થન કરતા કહ્યું કે જો તમે ધોનીને બાંગ્લાદેશનો કેપ્ટન બનાવો તો તે એક પણ વિશ્વકપ નહિ જીતી શકે. અસલમાં, આ બયાન સલમાન બટે બાબર આઝમમાં બચાવમાં આપ્યું છે.
પૂર્વ પાકિસ્તાની કપ્તાન સલમાન બટે કહ્યું કે બાબર પાકિસ્તાનના કપ્તાન છે, હવે જો તમે ધોની તથા રિકી પોટિંગને બાંગ્લાદેશના કેપ્ટન બનાવશો તો તેઓ વિશ્વકપ નહિ જીતી શકે. જો તમારે કઈ બદલાવ કરવો છે તો થોડી ધીરજ રાખવી પડશે. તેમણે કહ્યું કે કોઈપણ લીગમાં જો ટીમનું બેલેન્સ નથી બેસી રહ્યું તો તમે વધારે કમાલ ન કરી શકો તથા બાબરને આ ખેલાડીઓ લીગ શરુ થયાના માત્ર એક અઠવાડીયા પહેલા જ મળ્યા છે.
કારાચીએ બુધવારે મુલ્તાન સુલ્તાન વિરુદ્ધ મુકાબલામાં અંતની ઓવરોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મુકાબલા દરમિયાન અંતિમ ઓવરોમાં પાકિસ્તાનના પૂર્વ કપ્તાન વસીમ અકરમ પણ બાબર આઝમના અમુક નિર્ણયો પર નિરાશા જતાવતાં જોવા મળ્યા હતા.