RCB પોડકાસ્ટમાં કોહલીએ ફરી એકવાર ધોની સાથેની મિત્રતા વિશે વાત કરતાં કહ્યું કે ધોનીને ફોન કરો ત્યારે 99% ફોન ન ઉપાડે પણ મારા ખરાબ સમયમાં સામેથી તેનો બે વખત ફોન આવ્યો.
કોહલીએ ફરી એકવાર ધોની સાથેની મિત્રતા વિશે વાત કરી
અનુષ્કા, કોચ અને પરિવાર સિવાય ધોની મારી તાકાત બન્યા
ધોનીને ફોન કરો ત્યારે ન ઉપાડે પણ ખરાબ સમયમાં સામેથી ફોન આવ્યો
આઇસીસી વુમન્સ ટી-20 વર્લ્ડ કપ 2023માં ભારતને ઓસ્ટ્રેલીયા સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું ફરી એકવાર વર્લ્ડ ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. મહિલા ટીમની જેમ પુરુષોની ટીમ પણ છેલ્લા 10 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. હાલ RCB એ પોડકાસ્ટ સિરીઝ બહાર પાડી હતી જેમાં ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી કેપ્ટનશિપ સાંભળી હતી એવા કોહલીએ ફરી એકવાર આ ટ્રોફી વિશે ખુલ્લીને વાત કરી છે.
કોહલી અને ધોનીની મિત્રતા
વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની મિત્રતા ચાહકો અને સાથી ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.દરેક ક્રિકેટફેન્સને ખબર છે છે કે મેદાન પર કોહલી અને ધોનીનો સ્વભાવ અને સ્ટાઈલ એકબીજાથી સાવ અલગ છે. કોહલીનો અંદાજ આક્રમક અને દમદાર છે ત્યાં ધોની દબાણમાં તેના શાંત સ્વભાવ માટે જાણીતા છે. કોહલી ઘણીવાર ધોની સાથેની મિત્રતાની વાત કરે છે. RCB પોડકાસ્ટમાં કોહલીએ ફરી એકવાર ધોની સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.
અનુષ્કા, કોચ અને પરિવાર સિવાય ધોની મારી તાકાત બન્યા
કોહલીએ કહ્યું કે "રસપ્રદ વાત એ છે કે, અનુષ્કા સિવાય જે આ ખરાબ તબક્કામાં મારા માટે સૌથી મોટી તાકાત બની હતી, તેણી સમગ્ર સમય દરમિયાન મારી સાથે રહી છે અને તેણે મને ખૂબ નજીકથી જોયો કે મારી સાથે જે થયું એ સમયે હું શું અનુભવું છું, એ સમયે મારા માટે અનુષ્કા, મારા બાળપણના કોચ અને પરિવાર સિવાય... એકમાત્ર વ્યક્તિ જે ખરેખર મારી પાસે પહોંચી તે છે એમએસ ધોની."
ધોનીને ફોન કરો ત્યારે ન ઉપાડે પણ ખરાબ સમયમાં સામેથી ફોન આવ્યો
કોહલીએ વધુમાં કહ્યું કે 'ધોની મારી પાસે આવ્યો અને મારી સાથે ખાસ વાતચીત કરી. કોહલીએ કહ્યું કે જ્યારે પણ તે ધોનીને ફોન કરે છે ત્યારે મને ખબર છે કે 99 ટકા ફોન ઉપાડશે નહીં. કારણ કે તેઓ ફોન તરફ જોતા પણ નથી. જોકે ધોનીએ મને બે વાર મેસેજ કરીને પૂછ્યું ન હતું કે કેમ છો? તેણે કહ્યું કે તું જોરદાર રીતે પાછો ફરીશ. ત્યાં જ મને સંકેત મળ્યો અને મારું ફોર્મ પાછું આવ્યું.' વિરાટ કોહલીએ આ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે દરમિયાન ધોનીએ તેને એક મેસેજ પણ મોકલ્યો હતો જેનાથી તે ઘણો મજબૂત થયો હતો. એ મેસેજમાં તેણે લખ્યું હતું કે, "જ્યારે તમારી પાસેથી મજબૂત બનવાની અપેક્ષા રાખવામાં આવે છે અને એક મજબૂત વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. જુદા જુદા લોકો પૂછવાનું ભૂલી જાય છે કે તમે કેમ છો?
RCB એ બહાર પાડી પોડકાસ્ટ સિરીઝ
આ દરમિયાન લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી કેપ્ટનશિપ સાંભળી હતી એવા કોહલીએ ફરી એકવાર આ ટ્રોફી વિશે ખુલ્લીને વાત કરી છે. જણાવી દઈએ કે IPL 2023 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા એક પોડકાસ્ટ સિરીઝ બહાર પાડવામાં આવી છે, જેમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વાત કરી છે. વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે શું તમને એ વાત ખટકે છે કે તમે ક્યારેય ICC ટ્રોફી નથી જીતી.
એ છતાં મને નિષ્ફળ કેપ્ટન કહેવામાં આવ્યો
આ વિશે જવાબ આપતા વિરાટ કોહલીએ કહ્યું, 'તમે હંમેશા ટૂર્નામેન્ટ જીતવા માટે રમો છો, મેં ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021, T20 વર્લ્ડ કપ 2022માં કેપ્ટનશિપ કરી હતી અને અમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, વર્લ્ડ કપની સેમિફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચ્યા હતા. એ છતાં મને નિષ્ફળ કેપ્ટન કહેવામાં આવ્યો છે પણ તે વધુ મહત્વનું નથી. હું મારી જાતને તે રીતે જોતો નથી. અંતે ટીમે જે મેળવ્યું એ જ પરિણામ છે.' જણાવી દઈએ કે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની હતી, પરંતુ ટીમ ઈન્ડિયા તેના કાર્યકાળ દરમિયાન કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.
2 મુખ્ય ટાઇટલ જીત્યા
વિરાટ કોહલીએ કહ્યું કે ટૂર્નામેન્ટ સમયાંતરે થાય છે પણ ટીમનું કલ્ચર લાંબા સમય સુધી રહે છે. ટીમમાં આવું કલ્ચર વિકસાવવાનો મારો પ્રયાસ રહ્યો છે. એક ખેલાડી તરીકે મેં ODI વર્લ્ડ કપ જીત્યો અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. તેથી મેં જે હાંસલ કર્યું છે તેનાથી હું ખુશ છું.' આપણે બધા જાણીએ છીએ કે કોહલી 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો ભાગ હતો. એમએસ ધોનીએ બંને ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપ કરી હતી.