આઈસીસી વર્લ્ડકપ-2019 સેમીફાઇનલ્સમાં ન્યુઝીલેન્ડ સામે મળેલ હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના બેટિંગ ઓર્ડર અંગેના પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. ટીમના ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન, લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર( Sunil Gavaskar) માને છે કે જ્યારે સેમીફાઇનલમાં ભારતે પોતાની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને બેટિંગ માટે ઉપર લાવવાની જરૂર હતી.
ઉલ્લેખનીય છે કે, ગાવસ્કર વર્લ્ડ કપમાં પહેલેથી જ ભારતીય ટીમ મેનેજમેન્ટ નીતિઓની ટીકા કરી રહ્યા છે. ગાવસ્કરે હંમેશાં ભારતીય બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવાની હિમાયત કરી છે, જે પરિસ્થિતિ સાથે સુસંગત હોવું જોઈએ, પરંતુ 18 રનથી ન્યુઝીલેન્ડના હાથે મળેલી હારથી તેઓ ગિન્નાયા હતા.
આઇએએનએસના જણાવ્યા મુજબ, ગાવસ્કરે કહ્યું કે જ્યારે ભારતે પોતાના 3 ટોપ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી ત્યારે હાર્દિક પંડ્યા તથા ઋષભ પંત બેટિંગ કરી રહ્યા હતા. આ બંન્ને ખેલાડીએ એક જોવા બેટ્સમેન છે. તેમની જગ્યાએ ધોનીને હોવું જોઇએ. જે પંતને સંયમીત રહેવાની સલાહ આપી શતે. અંતે એક ખરાબ શોટ લઇને તે આઉટ થયો અને આ બાબત ભારત માટે મોંઘી સાબિત થઇ.
ગાવસ્કર મુજબ, ધોની પોતાના સાથીઓની મનોદશા સમજે છે અને આ જ કારણ છે કે, તે પંત તથા પંડ્યાને સાચી રીતે સમજાવીને વિકેટ પર બન્યા રહેવા માટે પ્રેરિત કરી શકે છે. પરિસ્થિતિ વિપરીત હોવા છતાં કોહલીએ ધોનીને 7 નંબર પર બેટિંગ કરવા માટે મોકલેલ.
સમગ્ર ટૂર્નામેન્ટમાં ધોનીએ એટલું ખરાબ પણ પરફોર્મન્સ આપ્યું નહોંતુ. આ મામલે કોહલીનો પોતાનો મત હતો. જો કે, કોહલીએ મેચ બાદ કહ્યું કે, ધોનીએ પરિસ્થિતને અનુકુળ થઇને પોતાની ભૂમિકા ભજવી.