IPL 2013 મેચ ફિક્સિંગ પ્રકરણને પોતાના જીવનનો 'સૌથી કપરો અને નિરાશાજનક' તબક્કો ગણાવતા મહેન્દ્ર સિંહ ધોનીએ સવાલ કર્યો કે, ખેલાડીઓનુ શું વાંક હતો? 2 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન 'રોર ઑફ ધ લાયન' ડૉક્યૂડ્રામામાં આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે. ભારતીય ક્રિકેટના હચમચાવી દેનારા આ પ્રકરણમાં મેનેજમેન્ટની ભૂમિકાના કારણે ચેન્નાઇ સુપરકિંગ્સને 2 વર્ષ બેનનો સામનો કરવો પડ્યો હતો.
ધોનીએ કહ્યું કે, ''2013 મારા જીવનનો સૌથી કપરો સમય હતો. હું ક્યારેય આટલો નિરાશ નહોતો થયો, જેટલો તે સમયે હતો. આના પહેલા 2007ના વર્લ્ડકપમાં નિરાશા થઈ હતી, જ્યારે અમે ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઇ ગયા હતા પણ તેમાં ખરાબ ક્રિકેટ રમ્યા હતા. 2013ની તસવીર અલગ હતી. લોકો મેચ ફ્કિંસિગ અને સ્પોટ ફિક્સિંગની વાતો કરતા હતા. તે સમયે આખા દેશમાં આ વાતો થઇ રહી હતી.''
ધોનીએ હોટસ્ટાર પર પ્રસારિત પહેલા એપિસોડટટ ‘વૉટ ડિડ વી ડૂ રૉન્ગ'vમાં કહ્યુ કે,ખેલાડીઓને ખબર હતી કે, આકરી સજા મળવા જઇ રહી છે. તેણે કહ્યું કે, ''અમને સજા મળવા જઈ રહી હતી, બસ એ જાણવાનું હતુ, સજા કેટલી હશે. ચેન્નાઇ સુપરકિંગ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો. તે સમયે મિશ્રિત લાગણીઓ હતી કારણ કે ઘણી બધી વાતોને તમે પોતાના પર લઇ લો છો. કેપ્ટન તરીકે આ જ સવાલ હતો કે, ટીમનું શુ ભૂલ હતી.''
મિસ્ટર કૂલે કહ્યું કે, ''અમારી ટીમે ભૂલ કરી પણ શું તેમા ખેલાડીઓ શામેલ હતા? તેમની શું ભૂલ હતી કે, તેમને આટલું સહન કરવું પડ્યું. ફિક્સિંગમાં જોડાયેલી વાતોમાં મારુ નામ પણ ઉછાળાયું. મીડિયા અને સોશિયલ મીડિયામાં એવુ દેખાડવામાં આવ્યુ જામે કે ટીમ પણ આમાં શામેલ હોય, હુ પણ શામેલ હોય. શું આ શક્ય છે. હા, સ્પોટ ફિક્સિંગ કોઇ પણ કરી શકે છે. એમ્પાયર, બોલર, બેટ્સમેન... પણ મેચ ફ્કિસિંગમાં ખેલાડીઓ શામેલ હોય છે.''
ધોનીએ કહ્યું કે, ‘હું આ વિશે બીજાની વાત નથી કરવા માગતો પણ અંદરથી તે મને કચોટી રહ્યુ છે, હું નથી ઇચ્છતો કે, કોઇપણ વસ્તુની અસર મારી રમત પર પડે. મારા માટે ક્રિકેટ સૌથી મહત્વનું છે.’ ધોનીએ ડૉક્યૂમેન્ટ્રીમાં કહ્યુ કે, ''મેચ ફિક્સિંગ ખૂનથી પણ મોટો ગુનો છે. તેણે કહ્યું, ‘હું આજે જે પણ છે તે ક્રિકેટના કારણે છે. મારા માટે સૌથી મોટો ગુનો કતલ નહીં પણ મેચ ફિક્સિંગ છે. જો લોકોનું લાગતુ હોય કે, મેચનુ પરિણામ અસાધારણ એટલે છે, કેમકે મેચ ફ્કિસ છે. તો લોકોનો ક્રિકેટ પરથી વિશ્વાસ ઉઠી જશે અને મારા માટે આનાથી દુખ કંઇ નહી હોય.''