IPL મેચ દરમિયાન ફરીવાર અમ્પાયરના નિર્ણયને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ શરુ થઇ ત્યારથી અમ્પાયરો વિવાદમાં છે ત્યારે પાછલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની પણ અમ્પ્યાર સાથે દલીલો કરવા લાગ્યા હતા.
ભારતની વિશ્વ વિખ્યાત ક્રિકેટ ટૂર્નામેન્ટ આઈપીએલની શરૂઆત હૈ ગઈ છે અને અત્યાર સુધી ચાર મેચ રમવામાં આવી છે. આ મેચમાં અમ્પાયરીંગ ખૂબ વિવાદો આવી રહી છે. પંજાબની ટીમ વિરુદ્ધ અમ્પાયરે શોર્ટ રન આપ્યા મુદ્દે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે થયેલ મેચમાં અમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.
મંગળવારે થયેલ મેચમાં અમ્પાયરના એક નિર્ણય વિરુદ્ધ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નારાજ થઈ ગયા અને તેમણે બંને અમ્પાયર વિરુદ્ધ નિર્ણયનો વિરોધ કર્યો.
નોંધનીય છે કે જ્યારે ચોથા મુકાબલામાં દીપક ચાહર 18મી ઓવર નાખી રહ્યા હતા ત્યારે પાંચમી બોલ પર શમ્સુદ્દીને ટોમ કરનને વિકટની પાછળ ધોનીને હાથે કેચ આપી દીધો. આ નિર્ણય પર કરને રીવ્યુ લેવાનો વિચાર કર્યો પરંતુ રાજસ્થાન પાસે કોઈ રેફરલ બચ્યો હતો નહીં તેથી તે પવેલીયન જવા લાગ્યા એવામાં બંને અમ્પાયર ચર્ચા કરવા લાગ્યા અને થર્ડ અમ્પાયરની મદદ માંગી લીધી.
જે બાદ રિપ્લેમાં જોવા મળ્યું કે ધોનીના ગ્લવ્ઝને બોલ લાગી ગયો હતો જેથી અમ્પાયરના નિર્ણયને બદલી દેવામાં આવ્યો. જે બાદ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સે ભરાઈ ગયા અને તેમણે બંને અમ્પાયર સાથે નિરાશાથી વાત કરી.
નોંધનીય છે કે ગયા વર્ષે પણ ધોની આ રીતે અમ્પાયર સામે લડી પડ્યા હતા ત્યારે જયપુરમાં રાજસ્થાન સામે કમરથી ઉપર ફૂલ ટોસ બોલને નો બોલ નહીં આપવા પર ધોની ગુસ્સે ભરાયો હતો અને પવેલિયનથી સીધા જ મેદાનમાં ઘુસી ગયા અને અમ્પાયર સાથે માથાકૂટ કરી.