ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીઓ પોતાના દેશ માટે ડબલ રોલ નિભાવી રહ્યા છે. આ ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાની સાથે સેનામાં પણ યોગદાન આપી ચુક્યા છે.
દેશ ઉજવી રહ્યો છે આજે 74મો ગણતંત્ર દિવસ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડી નિભાવે છે ડબલ રોલ
દેશની સુરક્ષામાં પણ આપે છે યોગદાન
ભારત આજે પોતાનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તમને ટીમ ઈન્ડિયાના એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના દેશ માટે ડલબ રોલ નિભાવી રહ્યા છે. આ ખેલાડી ખેલના મેદાનની સાથે સાથે દેશની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે.
MS ધોની
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા એમએસ ધોની નાનપણથી જ આર્મીમાં જવા માંગતા હતા. તે ઘણી વખત પોતાના ખાલી સમયમાં ભારતીય સેનાના નવજવાનો સાથે સમય પસાર કરે છે. એવામાં વર્ષ 2015માં ધોનીને ભારતીય સેનાના લેફ્ટનેન્ટ કર્નલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કપિલ દેવ
ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન કપિલ દેવ પણ સેનામાં શામેલ છે. કપિલ દેવને વર્ષ 2008માં ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનેન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત 2019માં કપિલ દેવને હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાંસલર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સચિન તેંડુલકર
દુનિયાના સૌથી મહાન બેટર કહેવાતા સચિન તેંડુલકર પણ આ લિસ્ટમાં શામેલ છે. સચિન તેંડુલકરને વર્ષ 2010માં ઈન્ડિયન એર ફોર્સના ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
હરભજન સિંહ
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ સ્પિનર હરભજન સિંહને પણ શાનદાર પ્રદર્શનના કારણે પંજાબ પોલીસે ડીએસપી બનાવ્યા હતા. તે આ સમયે રાજ્યસભા સાંસદ પણ છે.
જોગિંદર શર્મા
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતને આ ટૂર્નામોન્ટ જીતવામાં જોગિંદર શર્માનું ખૂબ જ મોટુ યોગદાન રહ્યું હતું. જોકે તે વધારે સમય સુધી ટીમનો ભાગ ન રહ્યા અને બહાર થઈ ગયા. પરંતુ હવે જોગિંદર હરિયાણા પોલીસમાં ડીસીપીના પદ પર કાર્યરત છે.