ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના સમાચાર મામલે તેમના મેનેજર અને મિત્ર અરુણ પાંડેએ નિવેદન આપ્યું છે. અરૂણ પાંડેએ કહ્યું કે ધોનીનો સંન્યાયનો કોઇ ઇરાદો નથી. તેમણે જણાવ્યું કે અત્યારે માહીનો ક્રિકેટ છોડવાનો કોઇ જ પ્લાન નથી.
ધોનીની વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદગી મુશ્કેલ
એવા અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, ધોનીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવશે નહીં, પસંદગીકારો તેમની સાથે નિવૃત્તિ મુદ્દે વાત કરી શકે છે. તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગને જોતા મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ઝડપથી જ તેમની સાથે વાતચીત કરશે.
મુખ્ય પસંદગીકારે કહ્યું કે, જો ધોની જાતે જ નિવૃત્તિ લેશે, તો તે સંભવતઃ ટીમમાં ઓટોમેટિક લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ ઇશારામાં એવા સંકેત આપ્યા હતા કે હવે ધોની ટીમ પસંદગીની યોજનામાં સામેલ થશે નહીં.
ત્યારે આજરોજ ધોનીના લાંબા સમયના મિત્ર અને મેનેજર અરૂણ પાંડેએ એક નિવેદન આપતા જણાવ્યું કે, ધોનીના ક્રિકેટ જગતમાં સંન્યાસને લઇને કોઇ જ ઇરાદો નથી. માહી ક્રિકેટ છોડવાનો કોઇ પ્લાન કરી નથી. પાંડેના આ નિવેદનને પગલે ધોનીના ચાહકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.